________________
આનંદઘન પદ
-
૪૧
-
પ્રથમ ચરણના અનુસંધાનમાં અર્થઘટન કરીએ તો સ્વપ્નમાં સરી પડેલી ચેતનાને ભયાનક ઘનઘોર કાળી અંધિયારી રાત્રિમાં ચારે બાજુથી સિંહ, વાદ્ય, વરુ, ચિત્તા, સર્પ જેવાં ક્રૂર હિંસક પ્રાણીઓથી ઘેરાઈ ગયેલી હોઉં અને ફાડી ખાવા ત્રાડ નાંખી જાણે અટ્ટાહાસ્ય કરતાં હોય એવાં બિહામણા દૃશ્યો દેખાવાથી તન મન છેદાય - કોરાય જતાં હોય તેવી કારમી વેદના અનુભવાય છે. પૂર્વે જે રાગદ્વેષ સેવ્યા છે અને એના કારણે ચઉગતિના ભવભ્રમણ દરમિયાન જે કારમા દુ:ખ વેઠ્યા છે તે સ્વપ્નમાં દૃશ્યમાન થઈ સંકેત આપી રહ્યાં છે કે હજુય આવા દારુણ દુ:ખ વેઠવા હોય, તો રાગ-દ્વેષના રવાડે ચડજે. આ બધાં દુ:ખનું મૂળ, બંધનનું કારણ રાગદ્વેષ છે; એ સત્ય સમજાયા પછી, ચેતના કહે છે કે આ કાયા ઉપર સ્નેહરાગ ક્યારેય કરવા જેવો નથી. જેમ લોઢાના સંગથી અગ્નિને પણ ઘણના ઘા ખાવાનો વારો આવે છે એમ કાચાનાં સંગથી અને કાચાની માયા રાખવાથી આ દુ:ખો વેઠવા પડે છે. આ કાયાની માયામમતા મારા સ્વામીએ છોડી દીધી હોત તો હું ચેતના મારા ચેતનથી અભેદ બની મુકત થઈ સ્વધામમાં સિદ્ધશિલા ઉપર લોકાગ્રશિખરે બિરાજમાન થઈ હોત અને મારે આ દુ:ખના દિવસો જોવાના આવ્યા ન હોત. પરંતુ મારા સ્વામીએ કાયાનો સંગ કર્યો તે કારણે મોહ-માયા-મમતા ઊભા થયાં અને દુ:ખ વેઠવાનો વારો આવ્યો. હવે જો સ્વામી ચેતન આ કાયાની માયા છોડી વીતરાગ થાય, તો મુજ ચેતનાનો સ્વામી ચેતનથી સમાગમ થાય અને દેહાતીત બની ચેતન સાથે તેરમા સયોગી કેવલિ ગુણસ્થાનકે અભેદ વર્તના થાય, જેના ફલસ્વરૂપ દેહ પુદ્ગલ પરમાણુ પણ મિશ્રસા મટી વિશ્વસા થાય. સ્કંધ્ય મટી વંદ્ય બને.
૨૯૩
પ્રીતમ પ્રાણપતિ બિના પ્રિયા કૈસે જીવે હો; પ્રાન પવન વિરહાદશા ભુયંગમ પીવે હો. પિયા...૩.
દશ પ્રાણોની ગતિ જે પ્રાણપ્યારા પ્રાણપતિ ચેતનને આધારે જ ટકી રહેલી છે, તેને હે સ્વામી ચેતન ! તારી આ પ્રિયા ચેતના કેમ કરી ટકાવી શકે
જીવંત રાખી શકે ? મારી અશુદ્ધ મતિ અને ગતિ પણ હે પ્રાણનાથ ચેતન ! તું મહીં એ અશુદ્ધિને જોનારો અને જાણનારો શુદ્ધ ચેતન માહ્યલો હાજર છે તેના જ કારણે છે. અરે ! આ વળગેલા મન, વચન, કાયાની પણ બધી
ઉપયોગને ઉપયોગમાં ઢાળવો તે ઉપયોગનો સદુપયોગ છે.