________________
આનંદઘન પદ - ૪૦
૨૮૯
- પ્રકૃતિના તત્ત્વો પતિ-પત્નીના સંબંધોમાંથી અધ્યાત્મ તારવવાની અને આધ્યાત્મને નિખારવાની ક્રિયાને પદોમાં ગૂંથી લઈને યોગીરાજે જગતને જે અમુલ્ય વારસો આપ્યો છે તેનો ઉપકાર કોઈ રીતે વાળી શકાય તેમ નથી.
જગતના જીવો અથાગ પ્રયત્નના અંતે પણ વિનાશી એવા ધન વિગેરેનું દાન પણ જગતને કરી શકતા નથી. જયારે આવા મહાપુરુષો રમત રમતમાં અધ્યાત્મ જેવી મહામૂલી જણસનું દાન કરી શકે છે એ એમના જીવનની સર્વોપરિતા છે અને જીવન સાફલ્ય છે જે એમની નિકટ મુકિતગામિતાને સૂચવે છે.
નગદ નાણા રોકડાનો વ્યાપાર એટલે જ ધ્યાનસાધના. સાધનામાં નિયમિતતા અને સાતત્યતાની અત્યંત આવશ્યકતા રહે છે. તેમાં અંતરે પડવું નહિ જોઈએ. અંતર પડવાથી અનુસંધાન તૂટી જાય છે. આ માટે એક આત્મદર્શી પુરુષ 7-1=0 નું સમીકરણ આપે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અઠવાડિયામાં છ દિવસ સાધના કરો પણ જો એક દિવસનો ખાડો પાડો તો તેનું પરિણામ શૂન્ચ આવે. ટૂંકમાં, પ્રભુ વીરનો ઉપદેશ “સમય” ગોયમ મા પમાયએ” કહો કે 7-1=0 નું સમીકરણ નજરમાં રાખો બંને એક જ છે. ડ્રાઈવરનું એક સેકન્ડનું ઝોકું અકસ્માત સર્જી શકે છે.
ધર્મયી યંબી તરફડી રહ્યું છે કેમકે એની | આધ્યાત્મિકતા અને નૈતિકતારૂયી લાંબો કરી લાંબવામાં આવી છે. ધાર્મિકતા છે યહા ખેલા યાયામાં ૌતિકતા નથી એવા યાતરમાં આધ્યાત્મિકતા નથી.
અનંતકાળની સંસારની ભટકણે આત્માના મોક્ષની અટકણ કરી છે.