________________
૨૦૮
આનંદઘન પદ - ૨૯
જે બધાં રૂપો બહારમાં દેખાય છે તે તો પર, જડ પંચમહાભૂત તત્વ પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-આકાશાદિ પુદ્ગલના રૂપો છે. પુદ્ગલના આ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દમાં હું નથી. - વિશ્વેતન - ચેતન (મિત્રચેતન)નો એક પણ ગુણ “શુદ્ધ ચેતન'માં નથી અને શાહ ચેતન'નો એક પણ ગુણ મિત્ર ચેતનમાં નથી. બન્ને સર્વણા સાવ જુદાં છે. શુદ્ધ ચેતન એ પુરુષ તત્ત્વ છે અને મિત્ર ચેતન એ પ્રકૃતિ તત્વ છે. શુદ્ધ ચેતન એ બિંબ છે, મિશ્ર ચેતન એ પ્રતિબિંબ છે. ચેતનની છાયા પડવાથી તે ઊભું થયું છે. મિત્ર ચેતન એ સર્વથા ચેતન પણ નથી અને સર્વથા જડ પણ નથી. પરંતુ ચેતનની હાજરીથી ચેતનભાવને પામેલ પુદ્ગલા છે જે સક્રિય અર્થાત્ ક્રિયાશીલ છે અને તેનાથી સંસાર ચાલે છે. શુદ્ધ ચેતન અક્રિય છે અને તે જ પરમાત્મ તત્ત્વ છે.
શુદ્ધ ચેતન જીવ પોતે જ છે પણ તેને જીવ ઓળખતો નથી કારણ કે તે દેખાતું નથી અને મિશ્ર ચેતન જે સ્થૂલ હોવાથી દેખાય છે પણ થોડા સમય પુરતું છે, જેમાં જીવ અનાદિથી ‘હું પણું કરતો આવ્યો છે તે જીવનું અજ્ઞાન છે. આ અજ્ઞાનને કારણે જ આખો સંસાર ઊભો થયો છે, તેને ટાળવાની વાત આ પદમાં કરી છે.
જેમ હું રંગરૂપ નથી તેમ બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શુદ્ધાદિ ચાર વર્ણરૂપ, જાતિરૂપ પણ નથી. હું કોઈ જાતપાતનો નથી કે નથી મારી ઉત્તમ, મધ્યમ, કનીષ્ઠની પંકિત (પાંતિ) - ક્રમ. નથી તો હું એકેન્દ્રિય કે નથી તો હું વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય મનુષ્ય, દેવ ચા નારક. નથી તો હું સાધકની સાધનાનું સાધન કે સ્વયં સાધક યા અન્ય કોઈ સાધકનો ઉત્તરસાધક. હું તો સ્વયંસિદ્ધ, અનાદિ અનંત, અનુત્પન્ન, અવિનાશી, સ્વયંભૂ નિષ્પન્ન છું. હા ! સાધનાકાળમાં સાધ્યસ્વરૂપે ઉપસ્થિતિ છે કેમકે અનાદિ અનંત છું. એટલું જ નહિ પણ હું કાંઈ હવામાં તરનારા રૂ જેવો કે તણખલા જેવો હળવો - હલકો - નીચો પણ નથી અને વજન કે પથ્થર જેવો પોતાના ભારથીજ ડૂબી જનારો ભારે - વજનદાર - ઊંચો પણ નથી. ન તો હું લઘુ નાનો - નીચો છું કે ન તો ગુરૂ - મોટો -
જીવને સજ્જનતા તો ફાવે છે પણ સાત્વિકતા નથી ફાવતી.