________________
૨૪s
આનંદઘન પદ - ૩૪
તનુ સુધ ખોચ ઘૂમત મન ઐસે, માનું છુઈક ખાઈ ભંગ; એતે પર આનન્દઘન નાવત, ઔર કહા કોઉ દીજે સંગ. દેખો૩.
તન (કાચા) ની શુદ્ધિ (સુઘ) જયારે ખોવાઈ (ખોય) જાય છે ત્યારે મન બેબાકળુ - બાવરું થઈ ભમ્યા (ઘુમ્યા - ઘુમત) કરે છે કે જેમ (એસે) કોઈક ભાંગ (અફીમ - નશીલો પદાર્થ) ખાઈ લીધી હોય અને નશામાં લથડિયા ખાતો. - ઠેબે ચડતો આડોતેડો - અહીંતહીં ભટકયા કરતો હોય, એવી મારી મન:સ્થિતિ થાય છે.
મારા અને પ્રભુપ્રેમ કે અંતરગત સ્વરૂપાનંદ વચ્ચે જે અબ્રહ્માનંદની ખાઈ-ખીણ-ખાડો હતો તે તો માટી કાંકરા નાંખી પૂરી દઈ સમતલભૂમિ બનાવી દીધી હોય એવું જણાય છે. છતાંય એ બ્રહ્માનંદ - સ્વરૂપાનંદની સાથે - મારા ભગવાન આત્મા એવાં પરમાત્માને એ સમતલ ભૂમિ પાર કરી સામે ચાલી ભેટું નહિ - તાદાભ્ય (તદ્રુપતા) સાધુ નહિ, આત્મઘરમાં કાયમી વસવાટ કરી સ્થાયી થાઉં નહિ ત્યાં સુધી લોકસંગ ગમે તેટલો સારો મળે તો પણ મારા માટે તો એ સંગ નીરસ - બેસ્વાદ ફીક્કો જ રહેવાનો.
કહેવાનું તાર્બ એ છે કે સાતમા અપ્રમત્ત ગણકાણે આત્માને ભીતરમાં પરમાત્મ સ્વરૂપની ઝલક તો મળે છે - ઝાંખી થાય છે પણ એ ઝળકાટ (અનુભૂતિ) ચળકાટ રૂપ બનતી નથી એટલે કે કાયમી - સ્થાયી થતી નથી - ટકતી નથી તેથી એ સાધક આત્મા છઠ્ઠા ગુણસ્થાનકે પાછો ફરી જઈ પ્રમાદમાં પડી જાય છે. માટે સમતા-ચેતના કહે છે કે જ્યાં સુધી કેવળજ્ઞાની પ્રાગટ્ય પૂર્વકની ચિરસ્થાયી શાસ્વત સ્વરૂપાવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આવી આ કામચલાઉ અવસ્થાથી કાંઈ મારા મનને શાંતિ વળવાની નથી. એવાં એ આનંદના પિંડ - સુખકંદ સમા નક્કર પરમાત્મા આવશે નહિ (નાવત) ત્યાં સુધી મારો આત્મા એના સિવાય બીજા કશાની માંગની બાંગ પોકારશે નહિ.
યોગીરાજજી કહેવા એ માંગે છે કે ભલે અનાદિની અસ્થિરતામાં અટવાતો આ આત્મા આજે કંઈક સ્થિરતાને પામ્યો હોય અને ઠરીઠામ થયેલો જણાતો હોય, તેથી સમતાને એ ઉન્નત અવસ્થાનો આનંદ હોય પરંતુ સાથે સાથે એ
વિવેક અર્થાત્ પ્રજ્ઞાની હાજરીથી અહંનું આત્મામાં વિલિનીકરણ થાય છે.