________________
૨૪
આનંદઘન પદ - ૩૪
(ઉદ્દેશી)ને ચેતનની ચેતના - સમતા કહી રહી છે..... અલી હે સખીઓ (આલી) ! આપણા ચેતવ્યપ્રભુની (નટનાગર - નટકુશળ - નટસમ્રાટ ચેતવ્ય) દિવ્યલીલા તો નીરખો સ્વામીનો આ સાંગ - સ્વાંગ તો દેખો ! સ્વરૂપના ધ્યાનમાં આત્મલીન (આલી) થયેલા - ઉચ્ચ - ભવ્ય (આલી) બનેલાં પ્રિયતમા ચેતવ્યને જરા જુઓ તો ખરા ! સ્વમય બનેલા સ્વામીનો રંગ કેવો નિખર્યો (ખિલ્યો) છે અને કેવાં શોભી રહ્યાં છે ! ચેતન્ય સ્વામી સંસાર નાટકના નટ છે કે જે પાછા નાગર છે એટલે કે એનું ઘર, ગામ, ગરાસ તો નથી પણ એનું કોઈ કુળ, જાતિ કે ગોત્ર ય નથી. છતાંય એ કેવાં દેદીપ્યમાન દેખાય છે ! એમની મુખમુદ્રા કેવી શોભી રહી છે ? ત્યાગ વૈરાગ્ય સંયમયોગથી નિ:સ્પૃહ બનેલ એમની જીવનદશા કોઈ બીજામાં જોવા નહિ મળે એવી નોખી નિરાળી. - ઓર હી ઔર છે ! એ તો જાણે દિવ્યાનુભૂતિના જ્ઞાનપ્રકાશમાં ખેલી રહેલો. (ખેલત) આત્મક્રીડા કરતો હોય એવો જણાય છે. તેથી (તાતે) તેની સામે સંધ્યાના રંગો કે સપ્તરંગી મેઘધનુષના રંગો યા તેજો, પદ્મ, શુકલ લેગ્યાના - પ્રકૃતિના નાશવંત અન્યરંગો ઝાંખા (ફીકા) લાગે છે. નિ:સ્પૃહતાના, નિવિશેષતાના, નિર્વિકારીતાના, નિર્મળતાના, વીતરાગતાના આત્મતેજ આગળ અંગના - કાયાના રંગ પણ ફીકા જણાય છે. એના આત્મરંગ આગળ તો આપણી કાયાના કામણ - આપણા અંગ પણ ઝાંખા પડી જતાં ફીકા લાગે છે. ચિદાનંદની આત્મમસ્તી તો કાંઈ ઓર જ છે જે ઓરમાં - બીજે કયાંય જોવા મળે એમ નથી. એ અજોડ, અદ્વિતીય, અનુપમ, અદભૂત છે કારણ કે તે આત્માના અતાનંદની દિવ્ય આત્માનુભૂતિનું આત્મતેજ છે !”
ઔરહ તો કહા દીજે બહુત કર, જીવિત હૈ ઈહ ઢંગ; મેરો ઔર બિચ અન્તર એતો, જૈતો રૂપે રાંગ દેખો...૨.
આપણા ચેતવ્યપ્રભુ સ્વામી સિવાય વિશ્વમાં કોઈ ઓરહ-અન્ય જગાએ બહુલતાએ (બહુત કર) - મોટે ભાગે આવું અનુપમ દેવતાઈ - દિવ્ય રૂપ કે આવું દેદીપ્યમાન દશ્ય જોવામાં - દેખવામાં આવ્યું નથી.
લોકો તો પ્રભુની સ્તવના કરતાં પ્રભુને ઓલંભડા આપે છે કે પ્રભુ ! અમે આપની આટઆટલી ભકિત કરીએ છીએ છતાં આપ અમને દર્શન પણ દેતાં નથી અને અમારાથી છેટા ને છેટા જ રહો છો ! આપ તો અમથી
સ્વાર્થ ગર્ભિત પ્રવૃત્તિ જ્યાં નથી ત્યાં સાત્વકતા છે.