________________
૨૫૬
આનંદઘન પદ - ૩૬
કેવલજ્ઞાન અને કેવળ આનંદમાં પરિણમન નહિ પામશે તો વળી પાછા રડવાના દિવસો નહિ આવે એની મને ચિંતા છે.
નરગ ભૂષણસે જરી જાતરી, મોતન કછુ ન સુહાય; ઈક બુદ્ધિ જીમેં ઐસી આવત હૈ, કીજે રે વિષ ખાય. વારે...૨.
“હે સખી મમતા ! રત્ન (નાગ-નંગ) જડિત (જરી) આભૂષણ (ભૂષણ-અલંકાર), જરિયાન વસ્ત્રો (જરી જાતરી), મોતીઓની માળા આદિથી જાતને શણગારું છું, જેથી કાયા વધુ કામણગારી બને અને સ્વામી ચેતના આકર્ષાય. પરંતુ કાયા અને કાયાના શણગાર પ્રત્યે ઉદાસીન બનેલ ચેતનની આગળ મારી કાયાના કામણનો કોઈ જાદુ અસર કરતો નથી. મારી કોઈ ચાતુરી-ઉપાય ચાલતા નથી. તેથી મને તો ઉલટું આ બધાં સાજ શણગાર શોભારૂપ (સુહાય) નહિ બનતા ભારરૂપ લાગે છે. ક્યારેક તો મનમાં (જયમે). એક (ઈક) એવો વિચાર - એવો વિકલ્પ (બુદ્ધિ) આવી જાય છે (આવત છે) કે ઝેર ઘોળીને (વિષ ખાયને) આ કાયાનો એટલે કે મારો અંત લાવી દઉં !”
કાયા જે સંસારસુખ ઈચ્છે છે, એની વાત વેગળી રાખી પદના આ બીજા ચરણનું આધ્યાત્મિક અર્થઘટન કરીએ તો કહેવું પડે કે - દશ યતિ ધર્મના નંગ અને જ્ઞાન-દર્શન-ચારિત્રના રત્નોજડિત પંચ મહાવ્રતરૂપ અલંકાર, પંચાચાર પાલનારૂપ જરિયાન વસ્ત્રો પરિધાન કરી, દેવ-ગુરૂ-ધર્મની ઉપાસનારૂપ મોતીઓની માળા પહેરી સજ્જ થવાં છતાં શુભભાવોના શણગારથી શોભાયમાન સુહાસિની - સૌભાગ્યવંતી બન્યા છતાં શુદ્ધ ઉપયોગ રૂપ ચૈતન્યસ્વામી હૃદયમંદિરમાં પધારતા નથી - અર્થાત્ સાતમા ગુણઠાણાની અપ્રમત્તદશા આવતી નથી, શ્રેણિના મંડાણ થતાં નથી અને ઐઐયિક (પારમાર્થિક) નિર્વિકલ્પતારૂપ માળારોપણ કરી શુદ્ધ ચેતન્ય ચિહ્વના
સ્વામી સાથે સાયુજય થતું નથી. તેથી આ બધાં શુભ શણગાર ફળ (પરિણામ) વિહોણા ફિક્કા ભારરૂપ લાગે છે. આ પરિસ્થિતિમાં મન:સ્થિતિ એવી થાય છે કે હજુ આ પ્રાપ્ત કાચબળ, મનોબળ કાચું પડે છે તેથી આ કાયાનો ઝેર ઘોળીને કે અનશન-સંથારો કરી, ત્યાગ કરી દઉં જેથી શુદ્ધ ચેતન્ય ચિહ્વનને
દિષ્ટ દષ્ટામાં સમાય તો કેવળજ્ઞાન. દષ્ટિ દશ્યમાં સમાય તો સંસાર.