________________
૨૪
આનંદઘન પદ
d
૩૮
લાવી રહી છું.
ચેતને ચેતનાની તદ્રુપતાને માટે કાર્યારંભ કર્યો છે, બીડું ઝડપ્યું છે, તેને માટે કચકચાવીને કચ્છ બાંધી કટિબદ્ધ થયા છીએ (કાછકછ્યો) અને પડકાર ફેંક્યો છે કે જે નાચ નાચવા પડે, જે ખેલ ભજવવા (નિવહે) પડે તે ભજવીને પણ હવે તો એનો નિવેડો (અંત) લાવીને જ રહીશું. નિંદાકુથલીના રસિયા લોકો (ચાચર) જે પંચાતિયા છે અને ચાડીચુગલી કરી બીજાની વાતમાં ટાંગ અડાવી ફૂટ (ફોરી) - ફાટફૂટ પડાવવાની ચળ (ચર) છે તેનાથી ડરતા નથી.
ગ્યાન સિંધૂ મથિત પાઈ, પ્રેમ પીયૂષ કટોરી હો; મોત આનન્દઘન પ્રભુ શશિધર, દેખત દૃષ્ટિ ચકોરી હો...મ...પ.
જ્ઞાનસિંધુ - જ્ઞાનસાગરનું મંથન (મથિત-વલોણુ) કરીને આ પ્રેમપીયૂષ - પ્રેમામૃત - આત્મામૃતની કટોરી પ્રાપ્ત (પાઈ) કરી છે. આનન્દઘન સ્વરૂપ ચંદ્રમાં (શશિધર) રૂપ ચૈતન્ય પ્રભુને દેખીને (દેખત - દર્શન કરીને) દૃષ્ટિરૂપ ચૈતન્યપ્રભુની ચેતનારૂપ ચાંદની (ચકોરી) પ્રમુદિત - પ્રફુલ્લિત (મોદત) થઈ એ પીયૂષ કટોરીમાંથી દર્શનામૃત - પ્રેમામૃતનું પાન કરવા લાગી છે.
શ્રુતજ્ઞાન સાગર એવાં આગમમાંથી આત્મા જે અગમ હતો તેને ગમ્ય બનાવી આત્મગમ્યતાનો આત્માનંદ, જ્ઞાનાનંદ, તત્ત્વાનંદ, સહજાનંદ, નિજાનંદ, પૂણાનંદ, બ્રહ્માનંદ, પરમાનંદ માણવા લાગ્યો અર્થાત્ તદ્રુપ થયેથી સંતૃપ્ત થયો.
પદનો બોધ એ છે કે મનનો સંબંધ લોક અને લોકોથી તોડીને, શુદ્ધ દર્શનજ્ઞાનોપયોગ વડે શુદ્ધાત્મા સાથે જોડીને, એનું સંવર્ધન કરી લોક કે લોકવ્યવહારની પરવા રાખ્યા વિના વર્ધમાન કરતાં રહીને, એને પરાકાષ્ટાનો વિકસાવશો તો પરમાત્મસ્વરૂપ પ્રાગટ્યથી પરમાનંદામૃતનું પીયૂષપાન પામશો.
ચૈતન્યધારા એજ રાધા છે અને આત્મા એજ કૃષ્ણ છે, કારણ કે તે કર્મોને ઇસી નાંખનાર છે. એટલે જ તે કૃષ્ણ કહેવાય છે. પોતાના સ્વામી પ્રિયતમ શ્રી કૃષ્ણમાં અર્થાત્ ચૈતન્ય સ્વરૂપ પરમ તત્ત્વમાં રાધા અર્થાત્
સંકલ્પ થાય તો વિકલ્પ સુધરે અને તો ભાવધારા સુધરે.