________________
૨૭૮
આનંદઘન પદ
E
બની નાયક એવાં પરમાત્મપદે સ્થાપિત કરનાર છે, એવી મારા પ્રાણ સમાન તત્ત્વત્રયી ઉપર જ આ મોહની ફોજ તો કઠોર પ્રહાર કરી મારા પ્રાણહરણની કુચેષ્ટા કરી રહી છે અને વળી પાછું એના આ કુકર્મ માટે એને કોઈ લોકલાજ કે મોટાઓની શરમની લગામ (વાજ) પણ એને વારવા રોકવા સમર્થ નથી. એ તો કાજર-કંજર જેવી હલકી કોમ છે, જે પૈસાને ખાતર કોઈ પણ હલકું કામ - નિર્દોષના પ્રાણ લેતાં પણ સહેજે અચકાતી કે ખટકાતી નથી:
-
-
૩૯
ટુંકમાં કહીએ તો મોહનીયકર્મનો ક્ષય કર્યો નથી તો દબાઈને સત્તામાં શાંત બેઠેલું મોહનીયકર્મ એવું તો ખતરનાક અને બેશરમ છે કે ઉપશમશ્રેણિ માંડી અગિયારમાં ગુણસ્થાનકે પહોંચેલા છદ્મસ્થ વીતરાગ ભગવાનને પણ ઉદયમાં આવેલું મોહનીયકર્મ દયાહીન બની ક્રૂર રીતે પટકે છે. એ તો સાયક એટલે લાયક જે ક્ષપકશ્રેણિએ ચઢે છે તે જ નાયક હોય છે કારણ કે તે મોહના પ્રાણ, કોઈપણ જાતની લોકલાજ રાખ્યા વગર કાચર (કાજર) નહિ બનતાં હરી લે છે અને શ્રેણીની પૂર્વાવસ્થામાં મોહને નાથી લગામ લગાવી અંકુશમાં રાખતો મોહ - મોહની ફોજ અને તેના હુમલાને બાજબહાદુર બની ખાળ્યા (વાર્યાવારી) કરે છે.
પરમાત્મા બનવા લાયક
મોહની મોહન ઠગ્યો, જગત ઠગારીરી, દીજિયે આનન્દઘન, દાહ હમાહીરી. તર...૩.
મોહની જાત જ ઠગારી છે. અનાત્મભાવવાળા સંસાર - જગત આખાને એ મોહ ઠગે એમાં બહુ આશ્ચર્ય થતું નથી; કારણ કે સંસારભાવમાં રાચતું જગત તો કર્માધીન હોવાથી આમેય મોહવશ જ છે અને એ બધાં મોહને તાબે થયેલાં, અરિ (શત્રુ)થી હણાયેલાં અરિહત છે. જ્યારે આ તો મોહનું હનન કરી મોહન - અરિહન્ત બનવા નીકળેલ મારા મનમોહન ચેતન સ્વામીને જ - યોગ સાધના કરનાર યોગીને જ એ મોહિનીએ અપ્સરા બનીને ઠગી લીધો. કેવું ધૂતારું છે આ મોહનીયકર્મ ! દશ દશ ગુણઠાણા સુધી પીછો છોડતું નથી અને એમાંય જો દશમેથી અગિયારમું પગથિયું કૂદાવી બારમે જતાં નથી અને ભૂલેચૂકે અગિયારમાં પગથિયે પગ મૂકાય છે તો ત્યાં તો એણે એવું છટકું ગોઠવ્યું છે કે સીધાં જ નીચે પટકાવાનું થાય છે. આમ મોહને હણી મોહક્ષયથી મોક્ષ
જ્ઞાન એટલે જૂનું નીકળે પણ નવું ભરાય નહિ.