________________
આનંદઘન પદ - ૩૮
૨૯૫
ચૈતન્યધારા એ એજ રાધા અને શણની રાસલીલા છે. રાધા પેતાના સ્વામીનો વિરહ સહન કરી શકતી નથી અને એનો સ્વામી શ્રીકૃષ્ણ રાધા વિના રહી શકતો નથી. અર્થાત્ ચેતનાને એક માત્ર આધાર હોય તો તે ચેતન્યદેવનો છે માટે ચેતનાની ધારા ચૈતન્ય તરફની છે. માટે જ રાધા એના સ્વામી વિનાની નથી અને સ્વામી રાધા વિનાનો નથી. આજ રાધાસ્વામી શતું દિવ્ય રહસ્ય છે. રાધા એના સ્વામીને મળવા નીકળી છે અને એનામાં સમાઈ જવાની છે. રાધા કૃષ્ણમાં સમાઈ અર્થાત ચેતનધારા વેતન્યમાં સમાઈ ગઈ. આજ ભાગવતમાં બતાવેલ રાસલીલાનું તાત્પર્ય છે.
ચેતનધારા એના સ્વામી ચૈતન્ય દેવને ગાઢ આલિંગન આપે છે ત્યારે જ સંસાર નિરાધાર બની તૂટી પડે છે. આ ભાવનાત્મક સાધના છે. પરમયોગ છે. બાહ્ય વિષમ સંયોગોમાં ભીતરી ધારાનો એક સરખો પ્રવાહ વહેવા દેવો એ યોગનું પરમ રહસ્ય છે.
ત્રિકાળી ધ્રુવ તત્વના અસ્તિત્વની સભાળતા અને યયયમાં ઉભરતા તરંગો પ્રત્યેની નિર્લેપતા એ મોક્ષમાર્ગ છે.
રામ્યગ્દર્શનની પ્રાપ્તિજું કારણ તત્વનિર્ણય છે. તસ્વનિર્ણય એટલે તેવસ્વરૂય સમજીને એની સમજટામાં સંપૂર્ણ શ્રદ્ધા થવી. આત્મસમજ એ આત્મજ્ઞાન છે. એનાથી આત્મવિશ્વાસ - આત્મદઢતા વધે, જેનાથી આત્મિક ક્રિયા થતાં અભિસુખ મળે અર્થાત ભરમમાહાતા આવે.
અંત:કરણની સાથે શેય જ્ઞાતા સંબંધ સ્થપાય તો આત્મા જ્ઞાની બની જાય.