________________
૨૫૦
આનંદઘન પદ - ૩૫
પરાકાષ્ટા તો ત્યારે સર્જાઈ કે જ્યારે પુત્ર કોણિકને પિતા શ્રેણિકના પોતા ઉપર થયેલ ઉપકારની જાણ થતાં મતિ ફરતાં, ઘણ લઈ બંધી પિતાની સાંકળોના બંધન તોડવા અધીરો બનેલો ધસમસતો આવતો જોઈ પિતાને થયું કે આ તો પિતૃહત્યાનો પાપી થશે, એમ વિચારી હીરાકણી ચૂસી જીવનનો અંત આણયો. આમ પુત્રની મમતામાં જીવિત ખોવાનો વારો આવ્યો.
1. આ રીતે અનંતા કાળથી મમતાના હાથે માર ખાધા કર્યો છે અને એના કારણે દુર્ગતિના કારમાં દુઃખો વેડ્યા છે. મમતાએ તો અંતક એટલે અંત કરનાર એવા યમદૂતના મોમાં ધકેલી અનંતુ ભવભ્રમણ કરાવ્યું છે અને તેથી અનંતીવાર - ભવોભવ અંતને એટલે કે મોતને હવાલે કર્યા છે. ભવોભવના જન્મમરણનું ભવદુ:ખ યોગીરાજ આનંદઘનજી મહારાજને સતાવી રહ્યું છે. તેથી તેઓ આમાંથી છૂટવાના ઉપાયો વિચારી રહ્યાં છે. યોગીરાજજી જાતને સંબોધીને કહી રહ્યાં છે કે ભવોભવ મમતાના ફંદામાં ફસાઈને, કર્મોનો માર ખાતાં ખાતાં અંતક-ચમરાજને તાબે થઈ, ભવોભવ અંત-મોતને ભેટવું અને પાછા દુર્ગતિમાં જવાનું થાય ત્યારે લાચાર બનીને એ દુર્ગતિના દારુણ દુ:ખની પીડાઓ સહન કરવા કરતાં તો હવે સમજ આવી છે, સમતાનો સાથ છે, સાધન અને સાધના મળી છે તો દેહં પાતયામિ વા કાર્ય સાધયામી’ એ સૂત્ર અપનાવી દેહની પરવા કર્યા વિના, હવે તો મરણિયા બની મોહ માયા મમતાને ખતમ જ કરવા છે. કયાં સુધી (કહાલું) સહન કરવું ? ભલેને જીવ જતો હોય તો જાય પણ હવે તો મોહક્ષય કરી મોક્ષ મેળવીને જ જંપવા જેવું છે. આવરણો - આડશને હઠાવી નિરાવરણ થઈને જ વિરમવા જેવું છે.
કોકિલ કામ ચંદ્ર ચૂતાદિક, ચેતન મત હૈ જા; નવલ નાગર આનંદઘન પ્યારે, આઈ અમિત સુખ દેજા. કરે૩.
કોયલ (કોકિલ) પોતાની કામના પૂર્તિ કરવા રાત્રિના સમયમાં ચંદ્રના પ્રકાશને ચૂએ છે. કોયલનો સ્વર સૂર્યના પ્રકાશમાં ન ખૂલતો હોય ત્યારે દિવસ દરમિયાન કોયલ શાંત રહે છે. પછી રાત્રિ દરમિયાન ચંદ્રની ચાંદનીને ચૂએ છે - ચૂસે છે જેનાથી કોયલનો સ્વર ખૂલી જાય છે અને ફરી કોયલ ટહુકવા માંડે
,
ગુણોના સમ્યગૂ પરિણમનથી જ્ઞાનકલા આત્મકલા બને છે.