________________
૨૪૮
આનંદઘન પદ - ૩૫
પદ - 3૫
(રાગ - દિપક અથવા કન્હાશો) જે નારે નારે ના. | કરે. .
સની સFIR ના ભૂવન, તવ ની સેના II વકરે. | ૧ || विरह व्यथा कछु ऐसी व्यापति, मानु कोइ मारती बेजा।
બંતા બંત દાઢું પ્યારે, ચાહે નીવ તૂ તૈના II રે. || ૨ || कोकिल काम चंद्र चूतादिक, चेतन मत है जेजा।
नवल नागर आनन्दघन प्यारे, आई अमित सुख देजा ॥ करे. ॥ ३ ॥
આ પદનું અર્થઘટન પણ અન્ય મીમાંસકોથી નોખા પડીને શ્રીયુત ખીમજી બાપા દ્વારા કરાયું છે. યોગીરાજજી આ પદથી જણાવે છે કે મમતાને મારો અને સમતાને સંવારો તો સીમિત મટી અસીમ એવા કદી નહિ મીટનારા અમીત (શાશ્વત-અપ્રતિપાતિ) સુખને પામશો.
કરે જારે જારે જા કરે. સજી શણગાર બનાયે ભૂખન, ગઈ તબ સૂની સે. કરે.૧.
ચૈતન્યમય ચિદ્ઘન સ્વરૂપ એવો આત્મા સમતાના સંગમાં રહીને દિવ્યા આત્માનુભૂતિનું આસ્વાદન કર્યું હોવાથી મમતા હવે એને ડાકણ જેવી મારક લાગે છે અને સમતા જ તારક લાગે છે. તેથી ચેતન આત્મા મમતાને પોતાનું આત્મઘર ખાલી કરી દઈ બીજે ચાલી જવા માટે કહે છે. વારંવાર કહેવા છતાં પણ મમતા હજુ ઘરમાંથી જતી નથી. ઊંડે ઊંડે પણ હજી પરમાં સુખ બુદ્ધિનો, પરપદાર્થ પ્રત્યેનો મમત્વભાવ હજુ પણ પડેલો છે. પહેલાની અપેક્ષાએ મમત્વભાવ ઘણો બધો ઘટી ગયો છે જરૂર પણ હજુ એ મૂળમાંથી ગયો નથી, તેથી એ પેલો પડી ગયેલો મમત્વભાવ પરમાત્મસ્વરૂપમાં તાદામ્ય સાધવામાં બાધક બની રહ્યો છે. ધ્યાનસાધનામાં વિક્ષેપ કરે છે અને વિચલિત કરી નાંખે છે. તેથી ચેતન ચેતનારૂપી સમતાના સંગમાં એ મમતાને જારે જા, જારે જા... હવે
જેમ જેમ વિવેક જાગે છે તેમ તેમ રુચિ સ્વરૂપાનુયાયી બને છે.