________________
આનંદઘન પદ - ૩૦
૨૧૭,
જય-પરાજય આદિ દ્વોમાં સમત્વ (સમતા) ભાવ વર્તે છે, તે નિદ્રઢ રહે છે અને ઉપશમભાવમાં - શાંત - પ્રશાંત - ઉપશાંતભાવમાં પ્રવર્તે છે.
સમતા તો જ સધાય અવધૂ - ચેતન ! જો મમતાથી છૂટાય. માટે અવધૂ-ચેતનનું સંબોધન કરીને કહે છે કે ચેતતો રહેજે. નિ:કાંક્ષ નિરંતર જાગૃતિ રાખી મમતાનો સંગ કરવાથી છેટો રહેજે. મમતા જાય તો જ સમતામાં અવાય અને સામાયિકમાં રહેવાય. જેને મારું મારું કહીએ છીએ My My કરીએ છીએ તે સઘળું ચ પર, જડ અને વિનાશી છે. એ સર્વ કાંઈ મારું છે નહિ તેને મારું મારું કહી વળગીએ છીએ અને એની ઉપર માલિકી કરીએ છીએ તે મમતા છે - મમત્વ છે. એ “હું” ને ભૂલાવે છે અને “હું” નથી તેના રવાડે ચડાવે છે. અને એમાં મુંઝાવે છે. એ મંઝવણ ટાળવા1 એટલે શહાત્મા અને My એટલે તેને વળગેલ વિનાશી એવું પ્રકૃતિનું તત્વ. એ બેનું સેપરેશન (અલગીકરણ) કરી I માં રહેવું અને My ને જોઈ લેવું તે અધ્યાત્મકલા છે, જે સંસારનો અંત લાવનાર છે. આ મમતા જ સર્વ દુ:ખનુ (જડ) મૂળ છે અને સમતા જ સર્વ સુખનું મૂળ છે. મમત્વ જેનામાં નથી, એનામાં જ સાચો નિ:સ્વાર્થ (નિ:કાંક્ષ) મૈત્રી ભાવનો પ્રેમ હોઈ શકે. મમત્વ વિનાનો સર્વન જ કરી ચલાવી ઓપરેશન કરી દર્દીને સાજો કરી શકે. મમતા એ મોહ જ છે. એ મોહ શું છે અને તેને જીતવાનો મોહત મંત્ર શું છે તે નીચેના શ્લોકમાં સરસ રીતે જણાવ્યું છે.
अहं ममेति मंत्रोऽयं मोहस्य जगदान्ध्यकृत् । अयमेव हि नपूर्वः प्रतिमन्त्रोऽपि मोहजित् ।
शुद्धात्मद्रव्यमेवाह, शुद्ध ज्ञानं गुणो मम । ( નાન્યોન માન્ચે રે’ - ત્યવો મોરન્નમુન II
આ શરીર તે હું છું અને તેની સાથે સંબંધિત છે તે બધું મારું છે' એ જગતને આંધળુ કરનાર મોહરાજાએ આપેલો મંત્ર છે. જ્યારે “આ શરીર તે હું નથી અને તેની સાથે સંબંધિત છે તે મારું નથી' એ મોહને જીતનારો પરમાત્માએ આપેલ પ્રતિમંત્ર છે.
આદયાત્મિકતાનો માર્ગ જાગૃતિનો છે તેમ અત્યંત પ્રામાણિકતાનો પણ છે.