________________
૨૩૮
આનંદઘન પદ - ૩૩
ગજવી મૂકે છે. અથવા તો બપૈયો જેમ વર્ષના વિયોગમાં તૃષાતુર, પીઉ પીઉના રટણથી સાદ દેતો હોય છે, એમ હું સમતા-ચેતના મારો ચેતન મને આવીને (આન) મળે ... મારા પ્રિય ચેતનના આવાગમનથી એનું અને મારું મેળાપન (મિલાવન) થાય તે માટે તરફડું છું. મારો એક એક શ્વાસ એ પરમહંસને સોડહં સોડહંના નાદથી જપે છે - ઝંખે છે. જીવ પીવન એટલે કે જીવના જીવત્વના - જીવના શિવત્વના - આત્માના પરમાત્મસ્વરૂપના પાન માટે આ મારો પ્યારો આત્મા પીયુ પીયુ કરી રહ્યો છે તો એ નિહ - નિજ - મારા. જીવનને હે વહાલા ! અનુભવ મિત્ર તું આણ-આણ (આન એ આન) એને લઈ આવ. એજ તો મુજ જીવનું જીવન - મુજ આત્માનું શુદ્ધ આત્મત્વ છે જેના પાન માટે પ્યાસો થયો છું. હવે તો આ જીવને જંપ તો જ વળે એમ છે અને નિરાંત-શાંતિ (નિઉ) તો જ થાય એમ છે કે જ્યારે એને એના નિજ જીવન - નિજ સ્વરૂપનું પાન થાય - વેદના થાય. કુતકેવલી અને કેવળજ્ઞાનીના જ્ઞાનમાં ફરક નથી પણ જ્ઞાનનું જે વેદન છે તેમાં જ ફરક છે. કેવળજ્ઞાની ભગવંતને શાન પૂર્ણપણે વેદનમાં વર્તે છે.
દુખિયારી નિશદિન રહરે, ફિરું સબ સુધ બુધ ખોય; તન મનકી કબહુ લહુ પ્યારે, કિસે દિખાઉ રોય. મિ. ૨.
ચેતન વિયોગી, વિરહિણી ચેતના - સમતાની હાલત કેવી થઈ છે, તે બેહાલીની વાત કરતાં સમતા કહે છે...
“હે વહાલા અનુભવ મિત્ર હું તો મારા ચેતનના વિયોગમાં રાતદિવસ વિરહના દુઃખની મારી, દુખિયારી થઈને મારા તન અને મનની સ્થિરતા ગુમાવી બેઠેલી, મારી બધી જ સુધબુધ એટલે કે સુઝ (પૂર્વાનુભવ - આંતર સમજણ) અને બુઝ (બુદ્ધિ) ખોઈને ભાન ભૂલેલી પાગલ થઈને ફરું છું. “પ્રીતમ આન મિલો...” અતી માશુકા માશુક (આસિક) ને શોધતી ચારે કોર ફરે એમ હું એને ઠામ ઠામ શોધતી કરું છું.
એ માર મીઠડાં અનુભવ મિત્ર ! તું મને કહે કે મારા આ વિયોગના દુ:ખનો અંત કયારે આવશે ? ક્યારે (કબહુ) મારા તન મનની સ્થિરતા - શાંતતા મને
સ્વ હોય તેની સાથે જ અભેદ પરિણમન શક્ય છે.