________________
આનંદઘન પદ - ૩૩
૨૪૧
જ ચાહતું (ઈચ્છતું) તમારા જ વિચારમાં પરોવાયેલું રહે છે, મારી જીભે તારું જ નામ ચડે છે અને વાણીથી તારા જ ગુણગાન ગાતી રાતદિવસ તારું જ રટણ કરું છું, આ કાયા પણ તારા જ મિલનને માટે તપે છે - તલપે છે - તડફડે છે. તમે જ મારા સર્વેસર્વા સર્વેશ્વર છો અને તેથી મારું સર્વ તમને સમર્પિત કરી દીધાં પછી ય સ્વામી મારાથી કેમ રુચા રુડ્યા રહો છો ?”
પાઠાંતરે આ પદના ચોથા ચરણની પહેલી કડી - પંકિત “ચિત્ત ચોરી ચિહું દિસે ફીરે, પ્રણમેં દો કરે પીસ” એમ છે. આ પાઠાંતરની પંકિતના આધારે અર્થઘટન કરીએ તો..
ચિત્તરૂપ ચકવી (ચોરી-ચોકી-ચકવી) પોતાના હૃદય ઉપર બન્ને હાથી મૂકીને અર્થાત્ હૃદયને થંભાવી (સ્થિર કરી) દઈ કે આપને જ હૃદયમાં દાબી - ધારી રાખી ચાતકી - ચકવી એના ચકવા ચેતકને ખોળતી ચેતના - સમતા પણ મારા સ્વામી ચેતનને ચારેય દિશામાં અર્થાતુ બધાંય મારા થઈ શકતા. પ્રયત્નો કરવા પૂર્વક એના મિલન માટે ટળવળી રહી છું.
આતુર ચાતુરતા નહિ રે, સુનિ સમતા ટુંક વાત; આનન્દઘન પ્રભુ આય મિલે પ્યારે, આજ ઘરે હર ભાત. મિ.પ.
હું તો તને શુદ્ધાત્મા - ચેતનને પામવા આકળી - અધીરી - આતુર બની, છું અને આતુરતામાં ચાતુર્યતા - ચાતુરતા હોય નહિ એ તો હકીકત છે. પરંતુ નાથે આપ સ્વયં તો ચતુર છો, તો પછી મારી આટઆટલી આતુરતાને જોયા જાણ્યા પછી પણ રૂઠેલાં એવાં મારાથી છેટા રહીને આપ મને તડપાવ્યા કરો અને મજા માયા કરો એમાં શું આપની ચતુરની ચતુરાઈ છે ? આ કાંઈ યોગ્ય નથી અને આપના જેવાં ચતુરને એ શોભતું નથી.
સમતા ચેતનાની આ ટુંકમાં - થોડામાં કહેવાયેલી મનોવ્યથાને સમજી જઈ આનંદનાઘન - સુખકંદ એવાં પ્રભુ-પ્યારા પ્રભુ ચેતન શુદ્ધાત્મા જાણે
ધ્યમંદિરમાં આવી બિરાજમાન થયાં હોય, એવો આત્માનુભવ - આત્મ સાક્ષાત્કાર થવાથી આનંદઘનજી મહારાજાને આત્મઘરે - હૃદયબાગમાં ભાતભાતના વિધવિધ રંગના સુગંધિત પૂષ્પો ખીલી ઉઠયા હોય અને હૃદય બાગ બાગ થતું
સ્વદ્રવ્ય ગુણ પર્યાયનું અભેદ પરિણમન એજ મોક્ષ.