________________
આનંદઘન પદ
·
૩૦
ઓફિસને છોડીને લેનારા ખરીદનારા અને દેનારા
વેચનારાની પેઢીના આંટાફેરા કરવાના. લેનાર અને દેનાર બંનેને ઊઠા ભણાવી સોદો પાર ઉતારવાનો અને દલાલી રોકડી કરવાની. દલાલીની કમાણી એટલે શાખ (આબરૂ) વગરની વચેટિયા તરીકેની કમાણી કે જેમાં ગાળિયા પણ ખાવાના હોય. આવી કમાણીથી લાખો ખાટ્યા (કમાયા) પણ એ કાળી કમાણી એ મેશ-કાળપ ચોપડી અર્થાત્ કાળા કરમો મેશ થઈને જીવને ચોંટ્યા. એવી કમાણીના અંતે આયુષ્ય પુરું થતાં ચિતા ભેગો થઈ ખાખ થયો. જે શરીરના સંબંધને અને શરીરના સંબંધે અન્ય સંબંધોને સાચવવા જાળવવા એના ભોગવટા માટે કાળી કમાણી કરી તે શરીર તો રાખ થઈ ગયું અને કાળા કર્મોની મેશ ચોંટાડી એ કર્મોની લેણદેણના હિસાબ ચૂકવવા અનંત સંસારની ભટકામણ થઈ. એમાંથી છૂટવાનો - એ સંસારના ભવભ્રમણનો અંત આણનારો મોક્ષમાર્ગ પછી સહજાસહજ હાથ લાગનાર નથી. જ્ઞાનીઓએ સંસારને અંધારિયો ભમ્મર કુવો કહ્યો છે. એ અંધારિયા કુવામાં પ્રકાશ થવાનો નહિ અને બહાર નીકળવાનો માર્ગ નજરે ચડવાનો નહિ.
-
·
-
આ પંક્તિની આધ્યાત્મિક વિચારણા કરીએ તો શ્રીમદ્ આનંદઘનજી મહારાજાનું કહેવાનું તાત્પર્ય એ છે કે ખાટ એટલે જીવની જ્ઞાન, દર્શન, ચારિત્રાદિની સ્વરૂપ સંપત્તિ આત્મધન અને પાટ એટલે સ્વરૂપસ્થિતતા સ્વભાવસ્થિતતા સ્વસ્થિતતા આત્મસ્થિતતાની પટુતાને ત્યજીને અર્થાત્
તારી શાશ્ર્વત ગુણભાવ સંપત્તિને ત્યજીને તું મમતાનો માર્યો પર-જડ-નશ્ર્વર સંપત્તિને મેળવવા પાગલ થયો છે. ખાટપાટને ભોગે ખાટેલી - કમાયેલી એ સંપત્તિ તો અહીંની અહીં રહી જશે અને જીવ તારે ખાખમાં લેટી જવું પડશે એટલે કે ચિત્તાએ ચડી મરણને શરણ થઈ, ખાલી હાથે આ ભાડાનું મકાન ખાલી કરી, કમાણી માટે કરેલાં કરતુતોનો જવાબ આપવા (ચૂકવણી કરવા) ચાલતી પકડવી પડશે.
.
૨૧૯
સારાય સંસાર (દુનિયા)ને સંપત્તિ માટે ખુંદી વળનારા સમ્રાટ સિકંદરને તો મરવા પહેલાં જ મરણટાણે શાણપણ આવી ગયું. સાચી સમજણ આવતાં મરણપથારીએ એણે લખેલા વસિયતનામાને વાંચ, વાંચીને ચેત્ અને મમતા પાછળ પાગલ થવાનું છોડ !
સંયોગવશાત ક્તિને છોડી શકાય પણ તરછોડી શકાતી નથી.