________________
આનંદઘન પદ - ૩૨
૨૩૩
હું તો મારા પિયુથી એવું મિલન ઈચ્છું છું કે એ મિલન નહિ પણ ગલન હોય - આત્મમિલન - આત્મલીનતા (આલી) - એકાત્મતા હોય જેવી પૂષ્પ, પુષ્પસુવાસ અને પૂછ્યુંરંગની હોય છે. પૂષ્પથી પૂષ્પની સુવાસ કે પૂષ્પનો રંગ જુદા નથી. પૂષ્પની સુવાસ પૂષ્પથી જેમ અભેદ છે તેમ હું ચેતના (પ્રિયા) - સુમતિ - સમતા કાંઈ મારા પિયુ ચેતનથી ભિન્ન નથી. હું ચેતના તો મારો ચેતન જેવો શુદ્ધ છે, સ્વાધીન છે, શાસ્વત છે, સંપૂર્ણ છે, સ્થિર છે તેવી જ થઈ તેનાથી અભેદ થવા ઈચ્છું છું. જેવો મારો પિયુ ચેતન - શુદ્ધાત્મા છે, જેવાં એના ગુણ છે, જેવું એનું ગુણકાર્ય - પર્યાય - અવસ્થા છે તેવાં જ મારા પણ થાય અને અમે પ્રેત નહિ રહેતાં અદ્વૈત થઈએ - ભેદરૂપ ન રહેતાં અભેદરૂપે ઉભરીએ !”
સ્વાનુભૂતિ સંપન્ન શ્રી ખીમજી બાપા આ કડીનું અર્થઘટન જુદી રીતે કરે છે.
ભ્રમર ફૂલે ફૂલે ફરી તેના રસને માણે છે અને ફૂલોમાં ગોળ ગોળ છેદ પાડી રસપાન કરતાં ફૂલોને જરાય ઈજા પહોંચાડતો નથી. એના ડંખમાં તથા પ્રકારની કુશળતા રહેલી હોય છે - ભમરાનો તેવો ગુણ છે. આ કારણે જ ફલે ફૂલે ભરત ભર્યું હોય - ભાત (ડીઝાઈન) પાડી હોય - જાણે ભરતવેલ ના ગુંથી હોય ? એવી શોભા સર્જાય છે. ભમરાં જેવાં ભમરાં કીટક થઈને પણ જો ફૂલો પ્રત્યેની પ્રીત આ રીતે નિવહતા - નિભાવતા હોય તો પછી તું તો ચેતના છે. ચેતન જેવો ચેતન થઈને તું તારી એક માત્ર સમતા અને તેની પ્રીતને નિભાવી શકતો નથી. ? તું અને સમતા કાંઈ જુદા છો ? જેવી પૂષ્પની સુવાસ, સોનાની પીળાશ અને સાકરની મીઠાશ છે, તેવી જ સમતા - ચેતના તો તારી જ ચેતનની સુવાસ - ચેતનનો ગુણ - ચેતનનો પર્યાય છે.
- એંઠી જાન કહા પરે એતી, નીર નિવાહિયે ઐસે; ગુન અવગુન ન વિચારો આનન્દઘન કિજિયે તુમ તૈસેં. નિકુર...૩.
હે પ્રિયે આ માયા મમતા તો ઘર ઘર ભટકનારી ભટકુ જમાત - વણઝારાની જાત છે. આ કાયા ઉપર આજે માયા છે પણ જે કાયા આ પૂર્વે તારી હતી એની માયાને છાંડી, કાયાને છોડીને આ કાયા મેળવી અને હવે આ કાયાની
ભવે મોક્ષે સમોની સ્થિતિ આવે પછી જ ક્ષપકણના મંડાણ થાય છે.