________________
૨૨૦
આનંઘન પદ
-
૩.
મારા મરણ વખતે બધી મિલકત અહીં પધરાવજો; મારી નનામી સાથ કબ્રસ્તાનમાં પણ લાવજો. જે બાહુબળથી મેળવ્યું, તે ભોગવી પણ ના શક્યો; અબજોની મિલકત આપતાં પણ આ સિકંદર ના બચ્યો. ૧. મારું મરણ થતાં બધાં હથિયાર લશ્કર લાવજો;
પાછળ રહે મૃતદેહ, આગળ સર્વને દોડાવજો. આખા જગતને જીતનારું, સૈન્ય પણ રડતું રહ્યું;
વિકરાળ દળ ભૂપાળને પણ નહીં કાળથી છોડી શક્યું. ૨. મારા બધાં વૈદો અને હકીમોને બોલાવજો,
મારી નનામી એ જ વૈદોને ખભે ઉપડાવજો. દર્દીઓના દર્દને દફનાવનારા જે હતા;
દોરી તૂટી આયુષ્યની તો સાંધનાર કો’નતા. ખાલી હથેળી રાખીને જીવો જગતમાં આવતા;
ને ખાલી હાથે આ જગતમાં સૌ ત્યજી ચાલ્યા જતા. યૌવન ફના જીવન કૃના જર જમીન પણ છે ક઼ના; પરલોકમાં હિસાબ મળશે પુણ્યનાં ને પાપના.
3.
૪.
સંયોગોના દૃષ્ટા બનવાથી સંયોગોને પ્રેમથી વિઠાય આપી કહેવાય.
જીવને જન્મતાં પહેલું કપરૂં બાળોતિયા-ઝભલું પહેરાવવામાં આવે છે તે અને છેલ્લું કપડું મરણ ટાણે ઓઢાડવામાં આવે છે એ કફનને ગજવા હોતાં નથી. વચગાળાના જીવનમાં ગજવા ભરવા પાછળ ગાંઠાઘેલાં બની, કાલાઘેલાં થઈને આત્મામાં કાણા પાડીએ છીએ ! આ સંદર્ભમાં પ્રભુ મહાવીરના શિષ્ય ગોસાલક, મમ્મણશેઠ, સૂર્યકાન્તા, ચૂલણી, ભરત-બાહુબલી, કોણિક, સુભમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તી, વર્તમાનના અબજોપતિ શ્રેષ્ઠિ આદિના કથાનક વિચારી જવા જેવાં છે કે શું લઈને આવ્યા હતાં અને મોહાંધ બની મેળવવાની મમતામાં શું ગુમાવીને ગયાં ? પવિત્ર થવાં, પરમાત્મા બનવા માટે પુણ્યને લઈને આવેલાં એ પુણ્યાત્માઓ પુણ્યને વેડફી દઈ પાપના પોટલાં બાંધીને ગયાં, સિવાય ભરત-બાહુબલી જે બાઝ્યા પણ બુઝ્યા અને બુદ્ધ (કેવળજ્ઞાની)
બન્યા.