________________
૨૧૬
આનંદઘન પદ - ૩૦
IIII
પદ - 30
(રાગ આશાવરી) साधो भाई समता रंग रमीजे, अवधू ममता संग न कीजे || सा. ॥ संपत्ति नाहीं नाहीं ममतामें, ममतामां मिस भेटे । खाट पाट तजी लाख खटाउ, अन्त खाखमें लेटे | सा. ॥ ॥१॥ धन धरतीमें गाडे बौरे, धूर आप मुख ल्यावे । मूषक साप होवेगा आखर, तातें अलच्छी कहावे || सा. ॥ ॥२॥ समता रत्नागरकी जाई, अनुभव चंद सुभाई । कालकूट तजी भावमें श्रेणी, आप अमृत ले आई || सा. || लोचन चरन सहस चतुरानन, इनतें बहुत डराई । બાનન્દઘન પુરુષોત્તમ નાથ, હિતવરી વ તારું II TI. II I૪ll
પૂર્વના ૨૯મા પદમાં દ્રવ્યદૃષ્ટિ ધરી, વ્યવહારથી વિમુખ થઈ, નિશ્ચય સન્મુખ થઈ, નિશ્ચય સ્વરૂપ બની જવાની પ્રક્રિયા યોગરાજજીએ બતાવી હતી. તો હવે આ પદમાં વ્યવહારનય લક્ષી વ્યવહારક્રિયાથી એટલે કે સત્કાર્ય - સક્રિયાથી (સમતાથી) અસક્રિયા - અસત્કાર્ય (મમતા)થી છૂટી સસ્વરૂપ થવાની પ્રક્રિયા બતાવે છે.
સાધો ભાઈ સમતા રંગ રમીજે, અવધૂ મમતા સંગ ન કીજે.
સારાય સંસારને ધુણી (ત્યજી) દીધો છે અને શાશ્વતની પ્રાપ્તિની ધુણી ધખાવી છે, એવાં હે સાધક સાધુ ભાઈ ! તું સમતાના જ સંગમાં રહેજે અને એના જ રંગમાં રંગાઈ જઈને સમતાનો રંગ માણજે (રમીજે). સમ એ તારું સ્વરૂપ છે. તેથી જ તો કહ્યું છે કે “સમત્વમ યોગ ઉચ્યતે". સમત્વને જ યોગ-સાધના કહેલ છે. સમ છે ત્યાં શમ છે. જેને બધાંય શાતા-અશાતા, સુખ-દુ:ખ, સાનુકૂળતા-પ્રતિકુળતા, લાભ-નુકસાન, માન-અપમાન,
ઉપયોગ શુભરૂપે પરણમે તો અશુભ અટકે.