________________
આનંઘન પદ
·
૨૯
આમ જે અવેદી, અભેદ, અગુરૂલઘુ, અશરીરી, અમૂર્ત, અબંધ, અમન, અશબ્દ, અકર્તા, અતીન્દ્રિય, અવિકારી, અરૂપી, અક્રિય ચૈતન્યમય આનંદપિંડ (સુખકંદ) આત્મસ્વરૂપને પિછાનશે, તેવાં નરરત્નો - નરકેસરીઓ એની બલિહારી ઉપર ઓવારી જઈને, એ પરમાત્મ સ્વરૂપના ઉપાસક - સેવક બનીને ઉપરોકત સર્વ અનાત્મરૂપની આહુતિ આપી દેવાનું - બલિ ચડાવવાનું મહાન પરાક્રમ કરી, સ્વયં પરમાત્મારૂપે પ્રકાશીને જગતમાં પરમાત્મસ્વરૂપના પ્રકાશનના વહેણને વહેતું રાખી, પરમાત્માના નામને દીપાવશે. મોક્ષમાર્ગ ચાલુ રહેશે. એ સ્વયં ભગવાન બની ભગવાન વતી ભગવદ્ભાવ વહેશે.
પદનો બોધ એ છે કે તું તારા વિરૂપને ઓળખ, તું તારા સ્વરૂપને ઓળખ. જે તારું નાસ્તિ સ્વરૂપ છે તેની નાસ્તિ કર અને જે તારું અસ્તિસ્વરૂપ છે તેનો આવિષ્કાર કર ! ટુંકમાં વિરૂપથી વિભક્ત થઈ સ્વરૂપનો ભક્ત બની તું તારા સ્વરૂપથી અભેદ થા ! નિગોદની નિકૃષ્ટ અવ્યહારાશિમાંથી બહાર નીકળવા ભાગ્યશાળી થયેલાં અને વ્યવહારરાશિમાં આવેલ હે ભવ્યાત્મન્ ! હવે તું ઉત્કૃષ્ટ ચૈતન્યાનંદ અક્રિયતા અવ્યવહાર્ય દશાને પામ !
આપવાની ક્રિયા સંયોગો અનુસાર થાય છે પણ આપવાના ભાવ જાગૃતિ અનુસાર થાય છે.
૨૧૫
આત્મા અન્ય દ્રવ્યને જાણવાની જ્ઞાયક્તિથી જ્ઞાન મહાન છે જ્યારે સ્વાત્માનુભૂતિથી વેટને મહાન છે.
સંસારત્યાગ એટલે પરભાવમાંથી વિરમવું અને સ્વભાવમાં રમવું.