________________
આનંઘન પદ
-
२८
તો જગત તમાસાને સંસાર નાટકને જોવા માટે હાજર નહોતા કારણ કે
તેઓશ્રી તો આત્મલીન રહેતાં હતાં.
.
૨૦૫
પદનો બોધ એ છે કે.પર ક્યારેય સ્વ થનાર નથી અને સ્વ ક્યારેય પર થનાર નથી. અભાવનો ભાવ થનાર નથી અને ભાવનો કદી અભાવ થનાર નથી. પરમાં પરાધીનતા છે. સ્વમાં સ્વાધીનતા છે. માટે પરની બીજાની આશા છોડી દઈ પરથી ખસ, સ્વમાં વસ અને માણ સ્વ(આત્મ)
સ.
દૃષ્ટિકોણ બદલવા ઉપર ભાર છે. અજ્ઞાની પોતાના દૃષ્ટિકોણથી ઘેરાય છે અને બંધાય છે. સવાલ વસ્તુઓનો નથી પણ દૃષ્ટિકોણનો છે. જો તે વસ્તુઓની કામનાઓથી ભરેલો તો તે બંધનને અનુભવે છે અને જો કામનાઓથી રહિત છે તો તે મુકત છે. માણસ પોતાના કારણોથી જ ગુલામ બને છે અને એજ કારણોને તે તોડે તો મુકત થઈ શકે છે.
માનવીનું મન અનાદિકાળથી પાયાની ભૂલો કરતું આવ્યું છે. ‘હું કોણ છું ?’ તેની ઓળખમાં તે અત્યાર સુધી નિષ્ફળ ગયો છે માટે ગમે તેટલું સારું જીવન જીવવા છતાં તે બંધન મુક્ત થઈ શકયો નથી.
馬
માનવભવ પાત્રતા એટલે ઉપાદાનને વિકસાવવા માટે મળેલો શ્રેષ્ડભવ છે. કામ કાઢી લેવા જેવું છે.
શેરડી, મોસંબી કે કેરીમાંથી રસ ખેંચી લેતા આવડે છે પણ દેહમાંથી ચૈતન્યરત ખેંચતા નથી આવડતું.
આત્માનું આત્મપણે ગેરહાજરપણું એ આત્માનું ભાવમરણ છે.