________________
૧૯૮
આનંદઘન પદ - ૨૮
પદ - ૨૮ आशा औरनकी क्या कीजे, ज्ञान सुधारस पीजे || आ. || भटके द्वार द्वार लोकनके, कूकर आशा धारी । માતર અનુભવ થતો શિયા, ઉતરે વાવડ રણુમારી || બાશ. I I૧. आशा दासीके जे जाया, ते जन जगके दासा । आशा दासी करे जे नायक, लायक अनुभव प्यासा || आशा. ॥ ॥२॥ मनसा प्याला प्रेम मसाला, ब्रह्म अग्नि परजाली । तन भाठी अवटाई पिये कस, जागे अनुभव लाली || आशा. ॥ ॥३॥
आगम पियाला पीयो मतवाला, चिन्ही अध्यात्म वासा । માનન્દઘન વેતન હૈ રહેને, તે નોર તHIRI || ગાશા. ||
IIઝા.
પૂર્વના ૨૭મા પદમાં જગત આખાને હાથમાં રહેલાં વર્તમાનને ખોઈ, ભવિષ્યના શમણામાં રાચનારને આશાના ગુલામ ગણાવેલ છે. હવે આ પદમાં, આશાને દાસી બનાવી અનુભવ પ્યાસા બની અનુભવપાન કરવા જણાવે છે. સાથે સાથે આત્માની વિસ્મૃતિ અને જાગૃતદશાની ઓળખ પણ આ પદથી કરાવી છે. આશા વિષયમાં પૂર્વેના ૭મા પદને પણ અત્રે ફરીથી જોઈશું. તો આ પદ ૨૮ વધુ સ્પષ્ટ થશે કે જ્યાં આશાને જંજીર ગણાવી છે.
આશા ઔરનકી કયા કીજે, જ્ઞાન સુધારસ પીજે. આશા. આશા એટલે આવતીકાલ - ભવિષ્યકાલ - પરકાલનો ભરોસો - વિશ્વાસ.
આપણે ત્યાં કહેવત છે કે “આશા અમર છે”. તો પાછી વળી તેથી વિરદ્ધની પણ કહેવત છે કે “પારકી આશ સદા નિરાશ”.
સ્યાદ્વાદશૈલીએ નયસાપેક્ષ વિચારણાથી બંને કહેવત સાચી છે. અમરની આશા રાખો - અમર થવા ઈચ્છો તો અમર થઈને રહો. કારણ કે અવિનાશી
પરમાત્માની શ્રદ્ધા થવી અને પરમાણુની શ્રદ્ધા થવી અત્યંત કઠીન છે.