________________
૨૦૨
આનંદઘન પદ - ૨૮
આત્મપણાનો સાચો અહંકાર છે અને તેને જ અસ્મિતા કહેલ છે.
આશા શાસકે જે જાયા, તે જન જાકે દાસા; આશા દાસી કરે જે નાયક, લાયક અનુભવ પ્યાસા. આશા.૨.
માયાની દાસી આશા છે, એવી આશા દાસીના જે જણ્યા - જાયા - પુત્રો છે, તે સર્વે દાસીપુત્રો છે. આવા દાસીપુત્રો દાસપણું કરવાને જ જમ્યા. હોય છે - એ દાસત્વ - ગોલાપણું - ગુલામી કરવાને જ લાયક હોય છે અને તેથી તેવાં સર્વે જણ (જન) - માણસો જગતના દાસ અર્થાત્ જગતના ગુલામ
જે કોઈ જણ આશાના દાસ નહિ બનતાં, આશાવશ નહિ થતાં; આશાને પોતાની દાસી પોતાની ગુલામ બનાવે છે અને આશાને વશ (તાબે) થતાં નથી તે નાયક - હીરો - વીર છે. એ વીર જન જ ગૃહિત (મેળવેલા)નો ત્યાગ કરીને અને અગૃહિત (મેળવ્યું નથી તેની)ની ઈચ્છા (આશા)નો ત્યાગ કરી શકવા. સમર્થ બને છે. એવો નાયક (વીર) જ આત્માનુભૂતિ (સ્વાનુભૂતિ)ને લાયક (યોગ્ય) હોય છે. એવો નાયક જે લાયક છે તે જ આત્માનુભવનો તરસ્યો . (પ્યાસો) બને છે અને તે જ આત્માર્થી આત્માનુભવ પિપાસુ, આગમ પ્યાલો - (સોમરસ - સુધારસ) આત્મામૃત બનાવવા ઉદ્યમી બને છે.
મનસા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગ્નિ પરજાલી; તન ભાઠી અવટાઈ પીયે કસ, જાગે અનુભવ લાલી. આશા.૩.
મનનો પ્યાલો જેમાં આશા, અપેક્ષા, ઈચ્છા, સંકલ્પ વિકલ્પનો કચરો ભરેલો પડેલો છે, તેવું એ મન કુડાકચરાથી ભરલું કુમન છે.
આવા આ કુમનમાંથી બધો કુડોકચરો કાઢી નાંખી તેને સુમન બનાવવાનું છે. કુમનને ખાલી કરવા માટે એને નમાવવાનું છે. નર્મ, લઘુ, નિર્વિશેષ બનાવવાનું છે. નમનભાવથી ખાલી થયેલાં એ મનપ્યાલામાં ભગવસ્વરૂપ ભક્તિરસરૂપી દુધ ભરવાનું છે, જે શ્વેતાંગી હોવાથી સાત્વિકતા, પવિત્રતાને આપનારું અને શક્તિદાયક હોઈ પુષ્ટિ કરનારું છે. એમાં સર્વજીવ પ્રતિ પ્રેમરૂપી
સંસારમાં મોહમાયા છે તો આધ્યાત્મિક્ષેત્રે યોગમાયા છે.