SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ આનંદઘન પદ - ૨૮ આત્મપણાનો સાચો અહંકાર છે અને તેને જ અસ્મિતા કહેલ છે. આશા શાસકે જે જાયા, તે જન જાકે દાસા; આશા દાસી કરે જે નાયક, લાયક અનુભવ પ્યાસા. આશા.૨. માયાની દાસી આશા છે, એવી આશા દાસીના જે જણ્યા - જાયા - પુત્રો છે, તે સર્વે દાસીપુત્રો છે. આવા દાસીપુત્રો દાસપણું કરવાને જ જમ્યા. હોય છે - એ દાસત્વ - ગોલાપણું - ગુલામી કરવાને જ લાયક હોય છે અને તેથી તેવાં સર્વે જણ (જન) - માણસો જગતના દાસ અર્થાત્ જગતના ગુલામ જે કોઈ જણ આશાના દાસ નહિ બનતાં, આશાવશ નહિ થતાં; આશાને પોતાની દાસી પોતાની ગુલામ બનાવે છે અને આશાને વશ (તાબે) થતાં નથી તે નાયક - હીરો - વીર છે. એ વીર જન જ ગૃહિત (મેળવેલા)નો ત્યાગ કરીને અને અગૃહિત (મેળવ્યું નથી તેની)ની ઈચ્છા (આશા)નો ત્યાગ કરી શકવા. સમર્થ બને છે. એવો નાયક (વીર) જ આત્માનુભૂતિ (સ્વાનુભૂતિ)ને લાયક (યોગ્ય) હોય છે. એવો નાયક જે લાયક છે તે જ આત્માનુભવનો તરસ્યો . (પ્યાસો) બને છે અને તે જ આત્માર્થી આત્માનુભવ પિપાસુ, આગમ પ્યાલો - (સોમરસ - સુધારસ) આત્મામૃત બનાવવા ઉદ્યમી બને છે. મનસા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગ્નિ પરજાલી; તન ભાઠી અવટાઈ પીયે કસ, જાગે અનુભવ લાલી. આશા.૩. મનનો પ્યાલો જેમાં આશા, અપેક્ષા, ઈચ્છા, સંકલ્પ વિકલ્પનો કચરો ભરેલો પડેલો છે, તેવું એ મન કુડાકચરાથી ભરલું કુમન છે. આવા આ કુમનમાંથી બધો કુડોકચરો કાઢી નાંખી તેને સુમન બનાવવાનું છે. કુમનને ખાલી કરવા માટે એને નમાવવાનું છે. નર્મ, લઘુ, નિર્વિશેષ બનાવવાનું છે. નમનભાવથી ખાલી થયેલાં એ મનપ્યાલામાં ભગવસ્વરૂપ ભક્તિરસરૂપી દુધ ભરવાનું છે, જે શ્વેતાંગી હોવાથી સાત્વિકતા, પવિત્રતાને આપનારું અને શક્તિદાયક હોઈ પુષ્ટિ કરનારું છે. એમાં સર્વજીવ પ્રતિ પ્રેમરૂપી સંસારમાં મોહમાયા છે તો આધ્યાત્મિક્ષેત્રે યોગમાયા છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy