________________
૧૯૪
આનંદઘન પદ - ૨૭
આપણે આર્યાવર્તમાં હિન્દુસ્તાનમાં જન્મેલાં તો બહુ પુણ્યશાળી ભવ્યાત્માઓ છીએ કે વિદ્યાના આરંભકાળે વિદ્યા ભણાવતાં પહેલાં જ આપણને ભણાવવામાં આવ્યું છે કે
“ વિદ્યા યા વિમુ”િ અને “વિદ્યા વિનયે શોખ”
જે ભવથમણમાંથી મુક્તિ નથી અપાવતી તે વિદ્યા જ નથી. એ તો અવિકા - મતિજ્ઞાન છે. અને જો વિદ્યાવાનમાં વિનય નથી તો એ વિદ્યા શોભતી નથી. વિનય - વિનમ્રતા - લઘુતા - નિર્વિશેષતાથી જ વિદ્યા શોભે. છે અને પૂજાય છે.
ભણી ગણીને દુનિયાદારી - દુન્યવી સાંસારિક વ્યવહારથી પર થઈ નિશ્ચયમાં એટલે કે આત્મામાં કરવાનું હતું. જ્ઞાની બની જ્ઞાનદશામાં - જ્ઞાનાનંદમાં રમવાનું હતું, તેના બદલે શેયમાં - દુન્યાદારીમાં - વ્યવહારક્રિયાઓને જ એટલે કે દુનિયાને - સંસારને જ વળગી રહ્યાં ! ભણીગણીને જેનાથી અળગા-વેગળા થવાનું હતું તેને જ વળગી રહ્યાં !
સિદ્ધ થવાની, પરમાત્મા બનવાની પ્રક્રિયા તો સક્રિયતામાંથી અક્રિયતા, ભણી લઈ જનારી, શિલાચરણમાંથી શલેશીકરણે હોંચાડનારી, સદેહીને વિદેહી બનાવી અદેહી અવસ્થાએ પહોંચાડનારી સર્વકલ્યાણકારી પ્રક્રિયા છે. સાધના જેમ આગળ વધતી જાય તેમ તેમ સાધનો ઓછાં થતાં જાય, સાધના ઘનતા પકડતી જાય અને સાધ્યથી અંતર ઘટતું જાય.
કાળ યોગ્ય નથી કે પછી કાળ હજુ પાક્યો નથી એવાં બહાના બતાડી વર્તમાનકાળ જે હાથમાં છે તેને ગુમાવી રહ્યાં છીએ - ખોઈ રહ્યાં છીએ. જે વર્તમાન વર્તવું જોઈતું હતું તેને કાલ (ભવિષ્યકાળ) ઉપર ઠેલી રહ્યાં છીએ. હાથમાં હતું તેને ગુમાવી દીધું અને હાથમાં નથી તે ભવિષ્યની - કાલની આશા ધરીને આશાના દાસ બનીને બેઠાં છીએ.
રાજા દશરથે ઋષિ વસિષ્ઠના કહેવા મુજબ મુહૂર્ત જોવાની ભાંજગડમાં પડ્યા વિના આવેલ શુભ સંકલ્પને તત્કાલ અમલમાં મૂકી દઈ રામનો રાજ્યાભિષેક
ખસેડવાનું નથી પણ ખસી જવાનું છે.