SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૨૭. ૧૮૯ હણી નાખે છે તે અરિહંતના ભાવસ્વરૂપને પામીને મુખે જીભથી બોલાયેલાં શબ્દોને જીવનમાં ચરિતાર્થ કરી એ શબ્દોના ભાવરૂપ સ્વયં બને છે. જીભથી ઉચ્ચારાયેલ શબ્દોનું જીવનમાં આલેખન કરે છે. જીભથી બોલાયેલા શબ્દોને એ ચાખે છે - આસ્વાદે છે - અનુભવે છે. રામ, કૃષ્ણ, શિવ-શંકર, નારાયણ, બુદ્ધ, જૈન, ઈસુ, અલ્લાહ આદિ અનેક વિધવિધ મતવાળા, મઠવાળા પંથોએ પોત પોતાના ઈષ્ટદેવોની ઉપાસના નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એ ચાર નિક્ષેપાઓથી ચાલુ કરી છે. ઉપાસ્યને એટલે કે ઉપાસ્યના ભાવ-સ્વરૂપને પામવા વહેતી કરાયેલી ઉપાસના કાળના પ્રવાહમાં સમયાંતરે ઘસાતી ઘસાતી સુકાતી સુકાતી માત્ર એક પ્રકારની યાંત્રિક ક્રિયા - રૂઢિ - પરંપરા બની ગઈ. સાપ ગયા અને લીસોટા રહ્યાં જેવી સ્થિતિ થઈ ગઈ. - મહોપાધ્યાયજીએ પણ ગાયું છે.... પરમ પ્રભુ સબ જન શબ્દ ધ્યાવે, પઢત પુરાણ વેદ અરૂ ગીતા મૂરખ અર્થ ન ભાવે ઉવત ફીરત ગ્રસ્ત રસ નહિ પશુચર્વિત ન્યુ ચાવે. ઍગગમ જેવું ફકત રસહિન ચાલ્યા જ કરવાનું ! નામ - સ્થાપના - દ્રવ્યના આલંબનથી જેનું નામ લેવાય છે, સ્થાપના કરી જેની પૂજા કરાય છે અને દ્રવ્ય નિક્ષેપાથી જેના જીવનકવનના ગુણગાન ગવાય છે તેના જેવા ભાવ છે - તેનું જેવું સ્વરૂપ છે તેને પામવાનું છે. નામા - સ્થાપના - દ્રવ્ય એ સાધન - કારણ છે અને ભાવ-સ્વરૂપ એ સાધ્ય - કાર્ય છે. કાળના પ્રવાહમાં પરંપરાગત પ્રણાલિકા રૂઢિ એટલે કે નામ - સ્થાપના - દ્રવ્યરૂપ સાધનો રહ્યાં પણ સાધ્ય - લક્ષ્ય જે ભાવ (સ્વરૂ૫) હતું એનો છેદ ઊડી ગયો. ત્યાગ વૈરાગ્ય રહ્યાં. જ્ઞાન ધ્યાન ભૂલાઈ ગયા. ત્યાગ વૈરાગ્ય એ નિષેધાત્મક સાધના છે. જ્ઞાન-ધ્યાન એ વિધેયાત્મક સ્વરૂપ સાધના છે. પર સાથેનો સાંધો તોડીએ છીએ પણ સ્વની સાથે સંધાણ થતું નથી. કાતરથી કપડું વેતરીએ ગુણાદર, ગુણપ્રમોદ, ગુણપ્રશંસા, ગુણપક્ષપાત આત્મલક્ષે હોય.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy