________________
આનંદઘન પદ ૧૩
રહેનારી દાસી રાવરીદ્ધિ
રાવ (રાજ) રીતિ પ્રમાણેની રાવરી પણ હોય છે. રાણી રાજા અને રાજ્યની શોભા છે જ્યારે દાસી એ ચાકરી કરનારી ચાકરડી
-
નોકરાણી - ગોલણ છે. એ કાંઈ રાણાની રાણી નથી. “હું સમતા (ચેતના) તો તમારું જ અંગ, તમારી જ સુવાસ, તમારો જ અંશ છું તો એનો ઉપભોગ કરો. એને માણો અને એનો અનુભવ કરીને પરખ કરો કે હું સમતારૂપ ચેતના અને આપ સ્વામી કાંઈ જુદા નથી પણ એક છીએ !”
-
“ખબર નથી પડતી કે આ માયા મમતા રાવરી દાસીઓ, ગોલાપું કરનારી ગોલણો કયાંથી તમારામાં પેંધી પડી ગઈ છે ? આ ભટકતી જાતિની, વણઝારા કોમની ગોલણો કે જેના કોઈ ઠામ-ઠેકાણા નથી, ગામમાં ઘર નથી અને સીમમાં ખેતર નથી એવી કોઈ નામ સરનામા વિનાની - વાસ વિનાની અસ્થિર, આજે અહીં તો કાલે કહીં એવી અહીં તહીં એકથી બીજા દેહમાં ભટકનારી, અસ્થિર, વિનાશી જાતિની વિનાશી અવસ્થામાં રહેનારી અને રાખનારી આ માયાવી મમતા ગોલણો આપ ચેતનના ઘરમાં કયાંથી આવી ચઢી ? એ તો નોકરાણી છે રાણી થોડી છે ! પોતાના અને પારકાની જરા પરખ
-
અનુભવ સમજ તો રાખો !
જે પોતાનું નથી, પારકું છે તેને પોતાનું માનવાની અને પોતાનાની કોઈ ઓળખ પિછાન ન કરવાની મૂર્ખતા - અજ્ઞાનતા ન કરો !’’ વીરવિજયજીએ પણ ગાયું છે કે..
પરખ
-
૯૩
-
“મારું નહોતું તેને મારું કરી માન્યું, મારું હતું એને નહિ પિછાન્યું, એવા મૂર્ખતાના દુ:ખ મારા, કહેજો ચાંદલીયા,
કહેજો ચાંદલીયા સીમંધર તેડા મોકલે.’”
રીજ પરે વાકે સંગ ચેતન, તુમ કર્યું રહત ઉદાસી; બરજ્યો ન જાય એકાંત કંતકો, લોકમેં હોવત હાંસી. અનુ...૨.
જે કોઈ જીવ એની ઉપર રીજ એટલે કે રતિ યા ગમો કરે છે તેનો હાથ પકડી તેના સંગે ચાલી નીકળનારી એવી અસ્થિર સ્વભાવવાળી અસતી કુલટા સ્ત્રી આ મમતા છે. “હે સ્વામી ચેતન ! તમે આવી મમતા કે જેનો વિશ્વાસ રાખી શકાય નહિ તેમાં મોહાંધ બની એના માટે તપો-તલપો છો અને એના
આત્માજ એક એવું દ્રવ્ય છે જે રાગાદિ રૂપે પરિણમે છે અને તે વીતરાગતાની હિંસા છે.