________________
૧૧૨
આનંદઘન પદ - ૧૬
રહી છે કે હવે તો ઘરે આવો રે ઢોલા.
સમતા તો આત્મા - ચેતનના અનંતગુણોમાંનો એક ગુણ છે. તેથી આર્તધ્યાનમાં આવી ચેતના જાતને કોશી રહી છે - રડી રહી છે કે તું શેનો આવે ? તારે તો મારા જેવી લાખો છે પણ મારે સતી પતિવ્રતા સ્ત્રી જે કયારેય તને છોડીને જનાર નથી તેને મન તું લાખેણો છે. મારે મન તો તું મારું અણમોલ (અમોલા - અમુલ્ય) રત્ન સમાન છે. છ મૂલભૂત દ્રવ્યોમાં જીવ-ચેતન દ્રવ્ય એક માત્ર સર્વોચ્ચ દ્રવ્ય છે, જે સ્વપ્રકાશક છે જ પણ પોતા સહિત છયે દ્રવ્યને પ્રકાશનાર - ઓળખાવનાર કોઈ હોય તો તે જ એકમાત્ર ચેતન (જીવ) છે. એટલું જ નહિ પણ નવતત્વ આખાની વિચારણા એકમાત્ર ચેતન (જીવ) આધારીત છે. એ જીવ તત્વ પોતાના સ્વત્વ - પરમાત્મત્વને સમજે અને બાકીના તત્ત્વોની યતા, દેવતા, ઉપાદેયતાને સમજી વિચારી અજીવના બંધનમાંથી પોતાના શહાત્માને મત કરી પરમાત્મ સ્વરૂપે પ્રકાશે. હું તારી ચેતના મારા પ્રિયતમ ચેતનાને મારા ઘરે ઢોલીયા પાથરી સેજડી સજાવીને આવકારવા સજજ થઈને બેઠી બેઠી અહર્નિશ રાહ જોઈ રહી છું અને ભીંજાતા હૃદયે કાકલુદી કરી રહી છું કે “ઘરે આવો રે ઢોલા’. વિમુખ થયેલાં અભિમુખ થઈ સબુખ થાઓ ! સન્માર્ગે ચઢો. વઘારે નહિ માત્ર ચૌદ પગથિયા ચઢવાના છે. એકેક કરી ચઢવા માંડો અને સ્વ ઘર રંગમહેલમાં પધારો સ્વામી !
જહરી મોલ કરે લાલકા, મેરા લાલ અમોલા; જયાકે પટંતર કો નહિ, ઉસકા ક્યા મોલ. નિશ...૨,
કોઈ ઝવેરી રત્નપારખું હોય તે ઝવેરી જ મારા ચૈતન્યરત્નનું પારખું કરી એની સાચી મૂલવણી કરીને મૂલ્ય આંકી શકે. બાકી ગમાર અબુધ મુરખ ભરવાડ તો રત્નને પણ કાચનો ટૂકડો માની ગાડરના ગળે બાંધે. હું સમતારૂપ ચેતના તો મારા ચેતનરાજાની રાણી હોઉં મારા લાલાની-લાલની કિંમત તો હું જ જાણું છું કે એનું કોઈ મૂલ્ય આંકી નહિ શકાય એવું એ મારું અણમોલ રતન છે. એ તો મારો પ્રાણ છે. હું અને એ કાંઈ જુદા નથી. એનામાં હું છું અને મારામાં એ છે. એના અને મારા વચ્ચે કોઈ પડદો - અંતરપટ (પટંતરો નથી. પોતાની
રખડાવે તે રાગ. રાગ એ ફાટી ગયેલું દૂધ છે.