________________
આનંદઘન પદ - ૨૩
૧૬૫
IIII
IIII
પદ - ૨૩
(રાગ : આશાવરી) अवधू अनुभव कलिका जागी, मति मेरा आतम समरन लागी ॥ अवधू. ॥ जाये न कहं और ठिगनेरी, तेरी विनता वेरी। माया चेरी कुटुंब करी हाथे, एक डेढ दिन घेरी ॥ अ. || I૧II जरा जनम मरन बस सारी, असरन दुनिया जेती । देढव कांई न बागमें मीयां, किसपर ममता एती ॥ अ. ॥ अनुभव रस में रोग न सोगा, लोकवाद सब भेटा । केवल अचल अनादि अबाधित, शिवशंकर का भेटा ॥ अ. || वर्षाबंद समुद्र समानी, खबर न पावे कोई । आनन्दघन व्हे ज्योति समावे, अलख कहावे सोई || अ. ॥ ॥४॥
જ્ઞાનપ્રાપ્તિની ત્રણ ભૂમિકા છે. શ્રુત, દષ્ટ અને અનુભૂત. જોવા, સાંભળવા કરતાં જાતે અનુભવ્યાનું જ્ઞાન એ શ્રેષ્ઠ કોટિનું જ્ઞાન છે.
અનુભૂતિ સંપન્ન અવધૂતયોગદશાના સાધક યોગીરાજજી આનંદઘનજી મહારાજા જ્ઞાનાનુભૂતિની દિવ્યતાના સ્વાનુભવની સંવેદનાઓને આ પદ દ્વારા અભિવ્યક્ત કરી રહ્યાં છે. અવધૂ અનુભવ કલિકા જાગી, મતિ મેરા આતમ સમરન લાગી.
અવધૂ.•••• આજ દિવસ સુધી મારો આત્મદશારૂપ છોડ કે આત્મદશારૂપ આમ્રવૃક્ષ ચીમળાઈ ગયેલ, મુરઝાઈ ગયેલ હતું. હવે એ નવપલ્લવિત થતું અનુભવાય રહ્યું છે કારણ કે એને અનુભવરૂપી કળી ફૂટી છે કે આંબે મોર આવ્યો છે. એ કળી એની આંશિક પણ સુવાસ પસરાવવા લાગી છે અને એ લહેરાતો આંબામોર આંબાવાડીને સુવાસથી મહેકાવવા લાગ્યો છે. એ છોડ, એ આંબાનું અસ્તિત્વ
આત્મા આત્મામાં રહે અને ભિક્ષુકતા છૂટી જાય તે સાચી ભિક્ષુકતા છે.