________________
આનંદઘન પદ - ૨૩
૧૭૧
- પરમાત્માના સમરૂપી બની લોકાગ્ર શિખરે સિદ્ધશિલા સ્થિત થઈ સાદિ અનંત શુદ્ધ, સંપૂર્ણ, સ્વાધીન, સર્વોચ્ચ શાસ્વત સુખનો સ્વામી થયો જે સહુ સિદ્ધભગવંતોને એકસરખું સર્વકાલીન છે.
સર્વ સ્વગત છે પણ સમકક્ષ છે. નથી કોઈ ઉપરી કે નથી કોઈ સેવક. નથી કોઈ નવો, નાનો કે નથી કોઈ જુનો મોટો. બધાંય એક સરખા સમરૂપ સ્વ પર પ્રકાશક, સર્વ પ્રકાશક, સર્વોચ્ચ પ્રકાશક અનંત આનંદના સ્વામી છે છતાં પણ સહુ નોખા નોખા છે, કારણ કે Individuality - વૈયકિતકતા. અકબંધ છે. પાછી એ એકમાં અનેક અને અનેકમાં એક એવી અનોખી અવસ્થા છે. આત્માનું આજ પરમાત્માસ્વરૂપ, સિદ્ધસ્વરૂપ, માત્ર અનુભવગમ્ય હોવાથી એ અવર્ણનીય, અનભિલાષ્ય, અકથ્ય છે અને તેથી જ સહુ કોઈ એને અલક્ષ કહે છે પણ એનું લક્ષ રાખી સાધના સોપાન ચઢતાં રહેવાનું છે. * પદનો બોધ એ છે કે આત્માનુભૂતિનું આસ્વાદન એટલે કે ગ્રંથિભેદથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરી સ્વરૂપના દૃષ્ટા અને સ્વરૂપના જ્ઞાતા થઈશું તો જ સ્વરૂપકર્તા થવાશે અને સ્વરૂપભોકતા બનાશે.
કાયાથી કરાતું તય અને બુદ્ધિની કસરત એકલાં, મોક્ષે nહ લઈ જાય કેમકે એમાંથી મળતો હiટ એ ક્રિયાકાંટ અને તiદ છે જ્યારે જીવે મેળવવાનો છે એ આભાdiટ છે. .
બહુ ઓછા જીવોને, બહુ ઓછા કાળ માટે ઘણા લાંબા કાળને અંતે માનવભવ મળે છે તેથી માનવભવની એક એક ક્ષણને વાવવાની છે. એ કાંઈ વેડફવા માટે હાથી મળી.
પરમાત્મતત્વની લગન લાગે તો તેના ઉપાય હાથ લાગે એમ છે.