________________
આનંદઘન પદ
-
૨૬
ગુણો અને પ્રભાવમાં શ્રેષ્ઠ એવી સર્વ સાંસારિક કળાઓ, જે એક કળા વિના નિષ્ફળ છે એવી આત્મધ્યાનમાં જ રાખનારી પરમ જ્યોતિરૂપ આધ્યાત્મિક જ્ઞાનકળાની જ અમે ઉપાસના કરીએ છીએ.
અવધૂ કયા માથું ગુનહીના, વે ગુન ગનિ ન પ્રવિના. ગાય ન જાનું બજાય ન જાવું, ન જાનું સુરમેવા. રીજ ન જાનું રીજાય ન જાનું, ન જાનું પદ સેવા. અવધૂ...૧.
સંસારી જીવોનું મનરંજન કરનારી, રંગરાગમાં રગડોળનારી લલિતકળાઓની જાણકારીને યોગીરાજજીએ કુશળતા કે પ્રવિણતા તરીકે ગણતરીમાં જ લીધી નથી અને એ બધી લલિતકળાના ગુણ વિનાનો ગુણહીન હું પ્રભુ ! તારી પાસે શું માંગુ ? હું તો અવધૂત છું - ખાખી બંગાળી છું. દ્રવ્ય (ધન) તો મારે જોઈતું નથી અને જગત જેને ગુણ ગણે છે તે (વે) ગુણોને હું તારા આત્મગુણો સ્વરૂપગુણો કે આત્મકલા સ્વરૂપ ઐશ્વર્યની આગળ નગણ્ય (વામણા) ગણું છું એટલે એ ગુણ હોવા એ ભલે દુન્યવી ક્ષેત્રે પ્રવિણતા ગણાતી હોય પણ મારે મન એ કાંઈ મોટી ધાડ મારવા જેવી સિદ્ધિ નથી. જેથી તો તારી આત્મકલાને એક માત્ર હસ્તગત કરવાની ધૂનમાં આવી કોઈ ગાવાની, વાજીંત્ર વગાડવાની કે તેના સુર તાલ મેળવવાની કલા તો હું શીખ્યો જ નથી. આ બધી લલિતકળાઓ તો જન સામાન્યને પોતે રીઝવાની અને અન્યને રીઝવીને કલાકુશળ - કલાગુરુ આદિ પદવીઓ પ્રાપ્ત કરવાના હેતુવાળી જનમનરંજન કરનારી કલા છે. આવી કલાનો હું જાણકાર નથી તેથી સુરતાલ સહિત ગાઈ બજાવી આ કલા વડે જ્યારે હું રીઝતો નથી તો તને આ રીતે - આ પ્રકારે રીઝવવાની પદસેવા (ચરણસેવા) હું કેમ કરી કરું ?
-
►
·
વેદ ન જાનું, કિતાબ ન જાનું, જાનું ન લચ્છન છંદા
તરક વાદવિવાદ ન જાનું, ન જાનું કવિ ફંદા. અવધૂ...૨.
૧૮૩
.
સંગીતકલા - સંગીત શાસ્ત્ર તો નથી જાણતો પણ વેદ અને કુરાન સુદ્ધાં જાણતો નથી અને એના રહસ્યોને પણ હું પામ્યો નથી તો પછી કિતાબ એટલે કે ગ્રંથપઠનની કલા શાસ્ત્રવાર્તા કરવાની કલા તો મને કેમ કરી આવડે ?
R
નિત્યની પ્રાપ્તિ માટે નિત્યની સામેનું યુદ્ધ એ જ સાધના છે.