________________
૧૬૪
આનંદઘન પદ - ૨૨
પદનો ટુંકસાર એ છે કે સાદિ સાતપૂર્વક અનાદિ અનંત વહેતાં વિશ્વવહેણમાં તું તારા કર્તાપણાના અહંનો ત્યાગ કરી સ્વયં સાદિ અનંત એવી તારી શાશ્વત, સ્થિર, અહિય, જ્ઞાતાદષ્ટા સહજ પરમાનંદ અવસ્થાને પામ !
ગતિમય સંસારમાંથી સ્થિરતા પામવા - પરમ સ્થિરતા પામવા વિનાશીની પલોજણ છોડી દે - સમય સમયે બદલાતા પર્યાયમાંથી હે જીવ! તારી દૃષ્ટિ ઉઠાવી લઈને, ત્રિકાલ ધ્રુવ સ્થિર - સ્થાયી પરમ પરિણામિકભાવ સ્વરૂપ દ્રવ્ય ઉપર સ્થિર કરે જેથી જેવું દ્રવ્ય છે તેવી જ પર્યાય આવીને ઊભી રહે. આમ દ્રવ્ય અને પર્યાયનું સાદશ્ય થતાં હે જીવ ! તારી સંસારયાત્રાનો અંત આવશે. આપણા સહુના અંતરમાં પ્રતિસમયે જે વિકલ્પના ધૂમાડા ઘૂમરી લઈ રહ્યા છે અને આપણને ઘૂમાવી રહ્યા છે તેનો અંત લાવવા આજ એક ઉપાય છે.
છઠ્ઠા ગુણાઠાણ સુધી મોહજન્ય અને અજ્ઞાનજન્ય ઉભય વિકલ્ય હોવા સંભવે છે. સાતમાથી બારમા ગુeઠાણ સુધી અજ્ઞાતજન્ય વિકલ્યની સંભાવના છે. તેરમાં ગુણાકાહ પછી નિર્વિકલ્યદશામાં મોહ કે અજ્ઞાન જનિત કોઈ જ વિકલ્ય નથી હોતા વરંતુ ઉયયોગવંતતા હોય છે. પછી પૂછવાય, કહેવા-સાંભળવાય તે યાદ રાખવાપણું હોતું નથી.
ઉપયોગને અંદરમાં વાળવો એ અધ્યાત્મ છે. અંદમાં વળેલા ઉપયોગને અંદરમાં રાખવો એ સાધના છે. અંદર વાળીને અંહ રખેલા ઉયયોગને અંદરમાં સ્થિર કરવો એ સમાધિ છે.
અભિપ્રાયથી મન ઊભું થાય છે અને નોંધણી સંસાર ઊભો થાય છે.