________________
૧૧૬
આનંદઘન પદ - ૧૭
પદ - ૧૭
(રાગ - સોરઠ) छोराने क्युं मारे छरे, जाये काड्या डेण ! છોરો છે મારો વાનો મોનો, વોલે છે અમૃતવેળા || છોરા. ના लेय लकुटियां चालण लागो, अब कांई फूटा छे नेण । तूं तो मरण सिराणे सूतो, रोटी देशे कोण ? || छोरा. ॥२॥ पांच पचीस पचासां उपर, बोले छे सूधा वेण । आनन्दघन प्रभु दास तिहारो, जनम जनम के सेण || छोरा. ॥३॥
છોરાને કહ્યું મારે છે રે, જાયે કાઠ્યા કેણ; છોરો છે મારો વાલો ભોળો, બોલે છે અમૃતવેણ. છોરા...૧.
આ પદમાં યોગીરાજજીએ દિવ્યતા અને દાનવતાની ખેંચાતાણીની સુંદર ગૂંથણી કરી છે. અનાદિથી સારા નરસા વચ્ચે નાયક - ખલનાયક શ્વેત અને શ્યામ વચ્ચેની લડાઈ ચાલતી આવી છે. યુધિષ્ઠિર જેવા નાયક અને દુર્યોધન જેવા ખલનાયકથી ભરેલો આ સંસાર છે. કયારેક આત્મા યુધિષ્ઠિર બને છે તો ઉર્ધ્વગતિ પામે છે તો કયારેક દુર્યોધન બની અધોગતિને પણ સર્જે છે.
સંસારી જીવ જેકીલ એન્ડ હાઈડની જેમ ઉood અને Evid સુર અને અસુર, પાશવીય અને માનવીય ઉભયતત્ત્વનું મિશ્રણ છે. આમ પણ સંસારી જીવ એ જડ-ચેતનનું મિશ્રણ હોવાથી મિશ્ર ચેતન છે અને બધીય ગતિમાં ભ્રમણ કરતો કરતો. આવેલો હોઈ, બધી ગતિના સંસ્કાર સાથે લઈને આવ્યો છે. માટે Dual Personality ઉભયાત્મક વ્યકિતતત્વ કે split Personality ખંડિત વ્યક્તિત્વ જોવામાં આવતું હોય છે. સંસારી જીવમાં સાત્વિકતા અને તામસિકતા કે રાજસિકતાનું ઘમસાણ ચાલતું હોય છે.
દિવ્યતાથી ઉર્ધ્વગતિ થાય છે અને દાનવતાથી અધોગતિ થાય છે. ઉભય સારા નરસાના તત્ત્વો વ્યકિતમાં ગીણ પ્રધાનપણે રહેલાં હોય છે. જેવું
દુઃખ નહિ આપે તે આર્યમાનવ, એ દુર્ગતમાં નહિ જાય.