________________
આનંદઘન પદ - ૧૭.
૧૨૧
દાસપણાના ફલસ્વરૂપ જ આજે હું પંચપરમેષ્ઠિ, પંચ મહાવ્રત, પંચાચાર પાલના, ઉપાધ્યાયજીના પઠન પાઠનના પચ્ચીસગુણ અને મુહપત્તી પડિલહેણના અધ્યાત્મના પચ્ચાસ બોલ જે અમરત્વને - સુધા-અમૃતને દેનાર વેણ (બોલ) છે તેને હું તમારો દાસ પામ્યો છું. અંતરમાં બિરાજમાન અંતરાત્માના અવાજને અનુસરનાર અંતરાત્માને પરમાત્મ સ્વરૂપે પ્રગટાવે છે.
કવિ કરસનદાસ માણેક પણ ગાય છે.• - ઘનવન વીંધતા ગિરિવણ ચઢતાં, તરતાં સરિતાશ્રોત;
સન્મુખ સાથી જનમ જનમનો અંતર ઝળહળ જયોત. આ પદનો બોધ છે કે પ્રભુ પ્રભાવે ભવિતવ્યતાના યોગે પંચપરમેષ્ઠિ, પંચમહાવ્રત, પંચાચાર, પઠન પાઠનના પચ્ચીસ યોગ, અધ્યાત્મના પચાસ બોલ પ્રાપ્ત થયા છે તો સદાચાર, દેશવિરતિ, સર્વવિરતિરૂપ પ્રાપ્ત થયેલ સંયમપુત્રનું લાલન પાલન સંવર્ધન કરી વિનાશીથી જુદો પડી, અવિનાશીની સાથે જોડાઈ, તારા અનાદિ અનંત અનુત્પન અવિનાશી સ્વયંભૂપણાની અમરતાથી અભેદ થઈ જા !
5
વ્યવહારમાર્ગ એ કીડી ફેંગે યાતો થિલિકા માર્ગ છે, ,
તો , નિશ્ચયમાર્ગ એ યવન વેગે કયાતો વિહંગમ માર્ગ છે.
એકાગ્રતા એ સામાયિક હાથી વરંતુ સમતા એ સામાયિક છે. નિરંતર સુદ્ધાભાછું લક્ષ્ય રાખી, ઉયયોગને વિષમ ન થવા દેવો એ સામાયિક છે. નિરંતર સામાયિકમાં રહેવા માટે સામાયિક કરી સ્વાધ્યાય કરવાનો છે. સ્વાધ્યાય એટલે કે સ્વના જ્ઞાતા-દMા.
આત્માના યથાર્થ દર્શન વિના સમ્યગ્દર્શન નહિ થાય.