________________
આનંદઘન પદ - ૨૧
૧૪૭
યોનિમાં લાલાયિત થવું પડે છે. આ કાંઈ વિશ્વની વાસ્તવિકતા નથી. આ તો કલ્પના છે અને આપણે આપણા જ કર્તુત્વને બીજાં કોઈ ઉપર ઠોપવા જેવું છે.
વસ્તુ સ્વરૂપ તો એવું છે કે પ્રત્યેક આત્મા વૈયકિતક સ્વસત્તાધીશ સ્વને આધીન સ્વાધીન છે. એ કાંઈ પરાધીન નથી પણ પોતે પોતામાં પોતાપણાથી સ્વતંત્ર છે. મુકત થતાં સિદ્ધત્વને પામ્યા પછી પણ એ બધાંય આત્મા પોતાના સ્વરૂપથી અને ગુણથી એક સમાન હોવા છતાં સંખ્યાથી દ્રવ્યની અપેક્ષાએ જુદા જુદા અલગ છે. પોતાની વૈયકિતતતા Individuality સ્વગતતાનું કાંઈ વિલીનીકરણ થતું નથી. બધાં એક સરખા સ્વ સ્વરૂપમાં સ્વ સત્તામાં છે જ્યાં કોઈ એમનો ઉપરી પણ નથી હોતો અને એમની નીચે કોઈ એમનો સેવક પણ નથી હોતો.
હવે જો એમ કહ્યું કે આત્મા ઉત્પન્ન થઈને જન્મીને, વિનાશ પામી જાય છે - મરી જાય છે તો પછી પ્રશ્ન એ થઈ પડે છે કે જે નિત્ય, ધ્રુવ અબાધિત તત્ત્વ છે, જે બાલ્યાવસ્થા, કીશોરાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા, પૂર્વાવસ્થા, ઉત્તરાવસ્થામાં, ઊંઘતા પહેલાં અને જાગ્યા પછી સાથેને સાથે જે હંપણાનો અહેસાસ કરાવતું અસ્તિપણાની અસ્મિતાનું તત્ત્વ છે તે નગય એવું ગૌણ બની જાય છે. તેથી ઉત્પત્તિ, સ્થિતિ અને લયની ઉગવા - આથમવાની, ખીલવા-કરમાવાની માન્યતા પણ બીનપાયાદાર ઠરે છે. કવિ કરસનદાસ માણેકે પણ ગાયું છે.
“ઘનવન વીંધતા, ગિરિગણ ચઢતાં, તરતાં સરિતાશ્રોત; સન્મુખ સાથી જનમજનમનો, અંતર ઝળહળ જ્યોત.”
માત્ર ઉપજે છે અને વિણસે છે કહેવામાં તો ધ્રુવ તત્ત્વનો છેદ ઉડી જાય છે અને ગણધર ભગવંતોને વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર જિનેશ્વર ભગવંતોએ આપેલી ““ઉપડુ વા વિકાનેડવા વેવા’ ની ત્રિપદીનો પણ મહા અપલાપ થાય છે. ધ્રુવતત્ત્વનો છેદ ઉડાડી દઈએ તો પછી આત્માના નિત્ય અબાધિતતાનો જે ગુણ છે તેની પણ અવગણના થાય છે. પ્રણવમંત્ર “જી” એ “અ”. “હ' અને “મ' નું સંયોજન છે જેમાં “અ” એ અતિ એટલે ઘુવ સૂચક છે, “ઉ”
નિવૃત્તિકાળમાં ધર્મી એ ધર્મી.