________________
આનંદઘન પદ ૨૨
-
-
- દ્રવ્યની ભાવાત્મકતા છે. વળી દ્રવ્ય છે, દ્રવ્યનો ગુણ-ભાવ છે તો તે ગુણ પ્રમાણેનું ગુણકાર્ય પણ હોય છે. આ જે ગુણકાર્ય છે તે એ દ્રવ્યની અવસ્થા હાલત દશાં પર્યાય છે. જે કાર્ય વ્યવહાર થાય છે તે પર્યાયથી થાય
.
૧૫૭
છે, જેના મૂળમાં આધારરૂપ ગુણ છે અને તે ગુણનો આધાર દ્રવ્ય-પ્રદેશ પિંડ કે અસ્તિકાય છે.
આ ઉપરથી સિદ્ધાંત એ ફળીભૂત થાય છે કે આધેય એવા ગુણપર્યાય આધાર એવાં દ્રવ્ય વિનાના ન હોય. એ જ પ્રકાણે કોઈ પણ દ્રવ્ય એટલે આધાર તત્ત્વ ગુણ-પર્યાય (ભાવ) આધેય વિનાનું કયારેય ન હોઈ શકે. ઉદાહરણ તરીકે સાકરની મીઠાશ સાકરના ગાંગડામાં જ હોય અને સાકરની મીઠાશ, સાંકરના ગાંગડાના આધાર વિનાની આધાર વિહોણી, પદાર્થ વિનાની નહિ હોય, આધેય આધારની ઓળખ કરાવે છે. દ્રવ્યની ઓળખ એ દ્રવ્યના ભાવ એટલે ગુણ અને ગુણાનુસારીની કાર્યાન્વિતતા એટલે પર્યાયથી છે. આ વિચારણાને હજુ એક ઉદાહરણથી સ્પષ્ટ કરીએ.
–
કાચા હીરાનો, સાકરનો, ફટકડીનો અને મીઠાનો એમ ચાર ગાંગડાઓ - પદાર્થના ટૂકડાઓ આપણી દૃષ્ટિ સન્મુખ મૂકવામાં આવે છે. જોવામાં તો આ ચારે સફેદ રંગના દ્રવ્યો લગભગ સરખાં જણાશે અને તેથી જ ખાંડની જગાએ ચામાં મીઠું નાખી દેવાની ભૂલ કયારેક ઉતાવળમાં થઈ જતી હોય છે.
આ ચારે દ્રવ્યો જે એના ગુણધર્મોનો આધાર છે અને એના ગુણપર્યાય જે આધેય બની આધારમાં રહ્યાં છે તેના વડે કરીને ચારેય દ્રવ્યોને ઓળખી જુદાં પાડી શકાશે.
જે.સખત, ચળકાટ વાળો અને પાણીમાં નહિ ઓગળનારો, સ્વાદરહિત હશે તેને આપણે કાચાહીરા - રફહીરા તરીકે ઓળખાવીશું.
હવે જે સખત છે, પાણીને નિર્મળ કરે છે અને સ્વાદમાં તૂરો છે તેને આપણે ફટકડી તરીકે ઓળખાવીશું.
વળી જે સખત છે, ચીકણો છે, પાણીમાં ઓગળે છે અને સ્વાદમાં મીઠો છે તેને સાકર તરીકે ઓળખાવીશું.
વ્યવહારથી જેમ પુણ્યશાળી સાથે રહેવાનું છે તેમ તત્ત્વથી ગુણસંપન્નની સાથે રહેવાનું છે.