________________
આનંદઘન પદ - ૧૮
૧૨૭
પાથરી આ ઘનઘોર અંધિયારી રાતમાં મારા પથદર્શક બનો !
પ્રેમે જહાં દુવિધા નહીં રે, મમેટ કુરાહિત રાજ; આનંદઘન પ્રભુ આય વિરાજે, આપ હી સમતા સેજ. રીસા...પ.
જ્યાં પ્રેમ છે ત્યાં જુદાપણું કે વિઘા - દુવિધા - અવઢવ નથી હોતાં. પ્રેમમાં અભેદતા છે. પ્રેમમાં વ્યાપકતા છે. મોહમાં સંકુચિતતા છે. પ્રેમગલી એવી સાંકડી છે કે એમાં બે એક થઈને રહે તો જ રહેવાય એવું છે. પ્રભુના ગુણગાન, સ્તુતિ સ્તવનામાં આખોમાંથી પ્રભુપ્રેમાશ્રુ નીતરતા હોય અને હૈયુ પ્રભુ વિરહાગ્નિમાં વલોવાતું હોય તો એવાં પ્રેમથી કર્મસત્તાના દૂર કુશાસિત - કુરાજિત રાજ (મમેટ) સમેટાઈ જાય છે અને આનંદનાઘન સ્વરૂપ ચેતવ્યપ્રભુ સમરૂપતા - વીતરાગતારૂપ સેજની સ્વસ્થિતતા - સ્વરૂપસ્થતાને પામે છે. ચિઘન સ્વરૂપ આનંદઘન પ્રભુ - ચેતન્ય મહાપ્રભુ એની ચેતના - સ્વરૂપગુણો અનંત ચતુષ્કની સેજમાં સ્વયં આવી બિરાજે છે.
પદનો બોધ એ છે કે દેવગુરૂના પ્રભુપ્રેમમાં પાગલ બની મોહ મમતાને કાઢી, સમતાને અપનાવી જીવ માત્રને આપસમ જાણી, પ્રેમવ્યવહારથી સર્વને સાધના માર્ગે સાનુકૂળ બનાવી, પ્રાપ્ત યોગસંયોગમાં સમભાવ - ઉદાસીનભાવ રાખી સમરૂપતા, વીતરાગતા, સર્વાનંદીતા, સર્વદર્શીતા, સર્વજ્ઞતા, સર્વશકિતસંપન્નતા, સિદ્ધત્વતાને પામો.
જીવ થશું ઝંખે છે. ય અભાવ એ અંધત્વ છે કે જે મુંજવે છે. એવા બંધને જો ય મળે તો કેવો અદકેરો આનંદ થાય ! એમ જીવો ભાવયસું એટલે કે સમ્યગ્દર્શન મળતા અપૂર્વ આoiટ પ્રગટે.
માત્ર બુદ્ધિથી જીવાતું જીવન એટલે ઘવલશેઠ અને મમ્મણશેઠ જેવું જીવન.