________________
આનંદઘન પદ - ૧૬
૧૧૫
એના જ્ઞાનપ્રકાશથી ઉજાળશે - અજવાળશે એમ વિવેકની વાતો સુણીને સમતારૂપ ચેતના પોતાના હૈયાના બોલ બોલે છે.
આ પદનો બોધ એ છે કે વિવેકી બનશો અને સમતા રાખશો તો ધ્યાના લાગશે, સમાધિમાં લીન થવાશે જેના ફળ સ્વરૂપ સમરૂપતા - વીતરાગતા, સર્વાનંદીતા, સર્વદર્શીતા, સર્વજ્ઞતા, સિદ્ધત્વતાને પમાશે.
બંધ સમયે ચિત્ત ચેતીએ રે, ઉધે શો સંતાપ સલુણા’ - કર્મબંધ સમયે અત્યંત વિવેકી બનવાનું છે જેથી અશુભ કર્મ ન બંધાઈ જાય અને પૂર્વના બાંધેલ કર્મના ઉદય ટાણે અત્યંત સમ રહેવાનું છે જેથી બંધાયેલ કર્મ નિર્જરી જાય.
ધ્રુવ તત્વને કાંઈ અડે નહિ એવી સ્થિતિમાં સ્થિત થવું તે સામાયિક. કદાય પડી જાય અને તેનો પશ્ચાતાય થતાં પાછું અડે નંહિ એવી સ્થિતિમા ધ્રુવ તવળે લાવવું તે પ્રતિક્રમણ. વિશેષભાવ થવો એનું જ નામ પડવું. નિર્વિશેષભાવમાં રહેવાય તો અડ્યું ન ધેવાય.
જગત એ રીલેટીવ અર્થાત્ વ્યવહાર અર્થાત્ સાપેક્ષ સત્ય છે. જયારે આત્મા વારમાર્થિક (રીયલ) નિરયેલ સત્ય છે. જેટલાં જેનારા છે, તેટલાં જોનારાના યોતયોતાના જગત છે. વળી જે જગત આજે છે તેવું કાલે નથી. એટલું જ નહિ યહા દેખાય છે તેટલું જ અને તેવું જ જગત નથી. જ્યારે સ્વયંnો અને સર્વનો આત્મા સર્વકાળે સર્વત્ર એના મૌલિક શુદ્ધ સ્વરૂયમાં એક સરખો છે.
તત્ત્વરાગ ઉપાદેય છે, સ્નેહરાગ હેય છે.