________________
આનંદઘન પદ
-
-
૧૬
જાન
પોતાના પ્રાણનું કોઈ મુલ્ય હોય ? પ્રાણથી - પ્રાણનાથથી અધિક આ જગતમાં શું હોઈ શકે ? એ ત્રિકાળ ધ્રુવ શુદ્ધાત્મા છે. પટંતરનો અર્થ આવરણ, અશુદ્ધિ, દોષ, જીરમ કે કચુ એવું અર્થઘટન કરવામાં આવે, તો કહી શકાય કે એ તો મારામાં જ રહેલો મારો ત્રિકાલ શુદ્ધ એવો પરમ પારિણામિક ભાવ છે, જેની ઓળખ મને થઈ નહોતી કેમકે મારી મત મારી ગઈ હતી. હવે તો મારામાં મારાપણાની સમજ આવી ગઈ છે કે એ મારું મરાપણું શું છે ? સર્વદોષ રહિત (જીરમરહિત) સર્વગુણ સંપન્ન ઝગારા મારતું સ્વ પર પ્રકાશક સર્વોચ્ચ રત્ન - આત્મતેજ તો મારામાં જ છે જે મારે પ્રગટ કરવાનું છે - પ્રકાશમાં વેદનામાં લાવવાનું છે. એના કોઈ મૂલ-મોલ ન થાય, એ તો મારું મૂળ - મારી જડ - મારું મારાપણું - મારી ઓળખ છે. જે અંગે ધારણ કર્યું હોય એ અંગને જ શોભાવનાર અને ઝળહળાવનાર ભૌતિક રત્ન નથી. આ તો વિશ્વ આખાને શોભાવનાર અને વિશ્વ સમસ્તને ઉજાળનાર દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપી અણમોલ આત્મરત્ન છે.
પય નિહારત લોયણૈ, દ્રગ લાગી અડોલા;
જોગી સુરત સમાધિ મૈં, મુનિ ધ્યાન ઝકૉલા. નિશ...૩.
-
૧૧૩
પદના આ ચરણ દ્વારા ચેતનની વિવેકદૃષ્ટિ-પ્રજ્ઞા જાગૃત થઈ જવાથી ભાઈ વિવેક બહેની સમતાને પોતે નજરે જોયેલી ચેતનની જાગૃત આત્મદશાનું વર્ણન કરતાં કહે છે કે જેના લોચન (નયન) અર્ધ બીડાયેલાં છે એવી અનિમેષ દૃષ્ટિ (દ્રગ) દૃઢતાપૂર્વક અડોલ અને અપલક અકંપ પણે પોતાના જ પય કહેતાં પરમપદ એવાં પદ ઉપર મંડાયેલી રહેલી (નિહારત) નિહારી રહેલી યોગદૃષ્ટિની સુરતામાં એટલે કે દિવ્યતામાં સમત્વથી સંધાયેલી, ધ્યાનમાં ઝૂલી (હિંડોળા લેતી ક્રીડા કરી રહેલી) ઝબકોલાઈ રહેલી છે, એવી ચેતનની આત્મમસ્ત મસ્તાનદશા હે બહેન ! ચેતના મેં જાતે જોઈ છે. અથવા તો ત્યારે પરાક્રમ ફોરવીને શૂરતાપૂર્વક યોગી બનીને મારા પતિ ચેતનરાજ દિવ્ય એવી સમત્વદશામાં પરમપદના ધ્યેયની સાથે ધ્યાનમાં ધ્યાતા બનીને ઝૂલતા હોય કે ઝબકોળાઈ ગયેલાં ગરકાવ બની ગયેલાં હોય એવું દૃશ્ય જોવાંને - નિરખવાને અધીરા બનેલા મારા (ચેતનાના) લોચણ (નયન) અપલક બનીને તારા ચેતનના
ગુણાનુરાગ વ્યક્તિરાગમાં પરાવર્તીત થતાં એ સ્નેહરાગ બને છે.