________________
આનંદઘન પદ - ૧૪
૭
- પદ - ૧૪
(રાગ – સારંગ) अनुभव तूं है हेतु हमारो, अनुभव. आय उपाय करी चतुराई, औरको संग निवारो। अनु. ॥१॥ तृष्णा रांड भांडरी जाइ, कहा घर करे सवारो । शठ ठग कपट कुटुंबही पोखे,मनमें क्युं न विचारो. ॥ अनु. ॥२॥ कुलटा कुटिल कुबुद्धि संग खेलके, अपनी पत क्युं हारो?
आनन्दघन समता घर आवे, बाजे जीत नगारो ॥ अनु. ||३|| - પૂર્વના પદ-૧૩માં સમતારૂપ ચેતના રાણી એના ચેતન રાણાને સમતાના સંગનો અનુભવ કરી સમતાના રંગે રંગાઈ સમતાના સુસંગથી મમતાના કુરંગ અને કુસંગથી છૂટવા કાલાવાલા કરે છે એ પદના અનુસંધાનમાં હવે આ ૧૪માં પદમાં સમતા અનુભવમિત્રની સહાય યાચી રહી છે તે વાતને ગૂંથવામાં આવી
અનુભવ તું હેતુ અમારો, અનુભવ. આય ઉપાય કરી ચતુરાઈ, ઔરકો સંગ નિવારો. અ.૧. ' મહાત્મન્ આનંદઘનજી મહારાજાનો આત્મા સ્વભાવની જાગૃતિના પંથે. આગળ વધી રહ્યો છે. એ માટે માયા મમતાને પોતાના પતિ ચેતનરાજાના આત્મઘરમાંથી હાંકી કાઢવા ગંભીર પુરુષાર્થ આર્યો છે. સમતારૂપી ચેતનાએ અનુભવરૂપી કલ્યાણમિત્રના હૃદયમાં હું - સમતાંજ મારા ચેતન સ્વામીની ખરી, સાચી પતિવ્રતા, સતી સ્ત્રી છું એ વાત ઠસાવી છે. કલ્યાણમિત્ર અનુભવે પણ એ વાતનો સ્વીકાર કર્યો છે અને સખી સમતાને બધી વાતે સહાય કરવા તત્પર થયો છે.
સમતારૂપી ચેતના કલ્યાણમિત્ર અનુભવને કરગરે છે કે જો મારા સ્વામીનો મેળાપ થવાનો હશે તો તારા થકી જ થશે. સ્વામીના મિલાપમાં જો કારણભૂત
હું જ્ઞાન વડે કરીને છું, પરને કારણે નથી.