________________
- ૧૦૦
આનંદઘન પદ - ૧૪
જુદાં ખેલ કર્યા કરે છે. યોગનિષ્ઠ આચાર્ય ભગવંત બુદ્ધિસાગરજી મહારાજ આ પદનું વિશ્લેષણ કરતાં તૃષ્ણા - ઈચ્છા કેવી આકાશ સમી અસીમ છે તે જણાવવા માટે કહે છે કે...
એક કીડીએ દરિયો પીધો, તો પણ તરસી થાય, બાર મેઘના પાણી પીધાં, નદીમાં ડૂબી જાય, ભલા જગ સાંભળો, સંતો રે, નાવ પર દરિયો ચાલ્યો જાય,
બડિયા બાવા, યતિ સન્યાસી, ખાખી જોગી ફકીર, જિલમય દુનિયા દેખી જ્યારે, રહી નહીં કોઈની ધીર, ભલા જગ સાંભળો, સંતો રે, નાવ પર દરિયો ચાલ્યો જાય,
આ તૃષ્ણારૂપ કીડી “ચકલી નાની ને ફેડકો મોટો” ની જેમ એવી તો. તરસી છે કે બધાંય નદી, નાળા, સરોવર, દરિયા, ખાબોચિયાના પાણી, અરે બારેય મેઘ ખાંગા થઈને વરસતા હોય તેનું સઘળુંય પાણી પી જાય તો પણ એની તૃષા છીપાતી નથી પરંતુ જો એ સમતારૂપ નદીમાં આવી જાય તો એની તૃષા - એનો તોષ સમ થઈ જાય છે અર્થાત્ સમી જઈ સંતોષને પામે છે. અર્થાત્ એ સમતારૂપ નદીમાં ડૂબી જાય છે - સમતામાં ગરકાવ થઈ જાય છે. તો પછી એ સમતારૂપ નદી નાવમાં રહેલાંની ઉપરથી આખોય ભૌતિક સંસારનો ઘૂઘવતો સાગર એની ઉપર ફરી વળે તો પણ એ હેમખેમ રહે છે અર્થાતુ પછી એ સંસારમાં રહે છે પણ સંસાર એનામાં રહેતો નથી. કંકોની મઝધારમાં પણ એ નિદ્રઢ નિર્લેપ રહે છે. બાકી સમતા નથી એવાં સંસારી તો શું પણ સંસાર ત્યાગી ચૂકેલાં ભલભલાં ચમરબંધી સંન્યાસી સંતો મહંતો પણ લોકેષણાની તૃષ્ણામાં તણાઈ જઈ બૂડી જાય છે. યોગીરાજજીમાંથી પ્રેરણા લઈ અન્ય એક ચિંતકે આવી જ રસિક રચના કરી છે જે માણવા જેવી છે. પરિશિષ્ટમાં આપેલા એ રચના જોઈ જવા ભલામણ છે.
બાકી આ તૃષ્ણા કે જે સવાર થતાં જ એની સવારી બીજે ગામ ચાલી નીકળનારી છે તે શું આપણા આત્માના - ચેતનના સ્વઘરમાં સવાર - પ્રભાત એટલે કે અજવાળું પાથરવાની ? એ તૃષ્ણાની જાત જ રાંડ ભાંડ ભવાયાની
બંધ પરિણામ સ્વરૂપે આત્મા પ્રવર્તે તે પર સમય.