________________
આનંદઘન પદ - ૧૪
૧૦૩
હેતુ છે જે માટે અનુભવને આત્માનુભૂતિને તેઓ સહરાના રણના તૃષાતુરની પેરે તરસે છે - તલસે છે.
આ પદનો બોધ એ છે કે તૃષ્ણાને ત્યાગી, સંતોષી બની, સમતાના સામાયિકથી આત્માની અનુભૂતિ કરો અર્થાત્ આત્માને આસ્વાદો જેથી અનાત્મભાવમાંથી - પરમાંથી સુખબુદ્ધિ ઊઠી જાય અને સ્વને સમજીને સ્વમાં સમાઈ જવાય.
તૃષ્ણાના તોરમાં રહી મમ્મણની જેમ અનંતીવાર નરકની પારાવાર વેદના આપણે સૌએ અનુભવી છે. હવે સંતોષીના અંગુઠા નીચે જે કૂબેરના ધનભંડાર ભરેલા પડ્યા છે તેને ખોલવાનો પ્રયત્ન કરવાનો છે.
સાંધામાં જે સાહ્યબુદ્ધિ થાય અને જે સાધ્યમાં સાયબુદ્ધિ થાય તો
જે કામવાળું છે તે કમાય નહિ.
લોકોએ કર્તા થિયરી સમજી છે પરંતુ કર્મ થિયરી સમજી નથી. ફલાણાએ મારું જ્યમાન કર્યું એમ કહેવું છે કત| થિયરી છે. મારા તથા પ્રકારના કર્મના ઉદયે કરીને મારું અયમાલ થયું એમ માનવું - રામજવું એ કર્મ થિયરી છે - કર્મeણી પ્રયોગ છે. કતરી પ્રયોગથી બંધ છે. કર્મeી પ્રયોગથી સંવર છે.
જ્યાં કર્મબંધ છે ત્યાં પર સમય છે.