________________
આનંદઘન પદ - ૧૨
શેષ રહ્યાં તેમાં અઠ્ઠા, નવ્વા, દસ્સાને તે ગણતરીમાં લીધાં પણ ગુલામ, રાજા, રાણી એ બાવલાના ત્રણ પાના હજુય બાકી રહી ગયાં. એ ત્રણનો ચોપ્પનની સંખ્યામાં ઉમેરો કરાતં સત્તાવન (૫૭)ની સંખ્યા મળે છે.
આમ (૨+૩+૪+૫+૬+૭ = ૨૭) + (૮+૯+૧૦ = ૨૭) + ૩ (ગુલામ, રાજા, રાણીના ત્રણ પાના) નો જે કુલ સરવાળો સત્તાવન થાય છે તે સંવરના પ૭ ભેદોનો નિર્દેશ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મા
જ્યારે આ સત્તાવન (૫૭) પ્રકારે સંવરમાં રહે છે ત્યારે સંવરની સામે જે આવે છે તેના બેતાલીસ (૪૨) ભેદો કે જે પાપ પ્રકૃતિઓ છે તેની ઉપર વિજય હાંસલ કરે છે.
દૃષ્ટાંતમાં પાનાના આંક ૩+૪+૫+૧+૭+૮+૯=૪૨ એ સાત પાનાના અંકના સરવાળાથી દ્રાષ્ટાંતિક આશ્રવની બેતાલીસ (૪૨)ની સંખ્યાનો મેળ ઘટાવવામાં આવે છે.
આશ્રવની ૪૨ સંખ્યા પાનાની દષ્ટાંતથી ઘટાવતાં છેલ્લે નવ (૯)નો આંક આવતા અંકો, જે માત્ર ૧ થી ૯ જ હોય છે તેની સમાપ્તિ થાય છે. અર્થાત્ ગણતરી પૂરી થાય છે કારણ કે સંવરના પ૭ ભેદથી આશ્રવના ૪૨ ભેદોનો છેદ ઉડાવી દેવામાં આવ્યો છે.
એક્કો (૧લું પાનું) એ આત્મા છે જે છ નિકાય - ષડનિકાયમાં કુટાઈ - કચડાઈ રહ્યો છે, આત્માના બે મોટા શત્રુ રાગ દ્વેષને પંચ પરમેષ્ટિની કૃપાભકિતથી તેમણે જાગૃત કરેલી જ્ઞાનશક્તિથી વશ કરવામાં આવ્યા છે અને ૪૨ પ્રકારના આશ્રવનું પ૭ પ્રકારના સંવરથી અવરોધન કરવામાં આવ્યું છે.
હવે આશ્રવની ગણતરીમાં નવ સુધી હોંચ્યા પછી દશમું પાનું દસ્સો બાકી રહી ગયો. કારણ કે એક આત્મા, બે રાગ દ્વેષ અને ૩+૪+૫+૬+૭+૮+૯=૪૨ આશ્રવ એટલી ૧ થી ૯ સુધીના અંકોની ગણતરી કરવામાં આવી. જે શેષ દશ (૧૦) રહી ગયો તે અંક નથી પણ સંખ્યા છે. એ સંખ્યાને અંકમાં રૂપાંતરિત કરવી હોય તો ૧ + ૦ = ૧ એમ અંકશાસ્ત્ર Neumrology પ્રમાણે એકનો અંક આવે. સંવરથી આશ્રવનો છેદ ઉડી જવાના
કેવલજ્ઞાન ઉપય છે.