________________
આનંદઘન પદ
-
૧૧
૩૭
એના થકી વફાદારી, ચપળતા અને જાગૃતિનો બોધ લીધો હતો તેમ આ મયુરપક્ષીની જીવનશૈલીમાંથી યોગીરાજજીએ સ્વયં બોધ ગ્રહણ કરી તે પરથી આ પ્રસ્તુત પદરચના દ્વારા એ બોધ પાછો આપણા સુધી વહેતો કર્યો.
પ્રકૃતિમાં પણ અધ્યાત્મના દર્શન થવાં એ સમ્યગ્દર્શનના એંધાણ છે. હનુમાનજીને સપ્તરંગી મેઘધનુષની ક્ષણિકતાના દર્શનથી સમકિત પ્રાપ્તિ થઈ હતી.
મોર એ બધાં પક્ષીઓમાં ઉત્કૃષ્ટ પક્ષી છે. ભારત સરકારે પણ તેને રાષ્ટ્રપક્ષી તરીકે જાહેર કરેલ છે. એ વિદ્યાની દેવી સરસ્વતીના ત્રણ આસનમાનું એક છે. દેવ-દેવીઓમાં માત્ર એક સરસ્વતી છે કે જેને મયુર, હંસ અને કમલ એમ ત્રણ વાહન કે ત્રણ આસન છે. પ્રાસંગિક અત્રે જણાવવાનું કે મયુરાસની સરસ્વતીદેવી કષાયનાશિની છે. મયુર સર્પનો વેરી છે અને મયુર કે મોરપીંછને પણ જોતાં સર્પો તેમજ ગરોળી (Lezard) જેવાં પ્રાણી તે સ્થાનનો ત્યાગ કરી દે છે, તેથી મયુરાસની સરસ્વતી કષાયનાશિની જણાવી છે. હંસમાં ક્ષીરનીરનો વિવેક હોવાથી હંસાસની સરસ્વતી વિદ્યાવિવેકદાયિની જણાવી છે. તીર્થંકર, દેશના કેવળી ભગવંતો, ગણધર ભગવંતો આદિ સિદ્ધ પુરુષની નિર્લેપતા, નિર્દેહિતા, સહસ્રાર પ્રફુલ્લિતતા, પવિત્રતાનું સૂચક તેમનું કમલનું આસન છે તેથી કમલાસની સરસ્વતી સ્વરૂપદાયિની જણાવી છે.
ભારતભરમાં જંગલમાં તેમજ લોકવસ્તી વચ્ચે પણ ઠેર ઠેર ગામે ગામ મૌરપક્ષીના દર્શન થતાં હોય છે. એમાં પણ તીર્થક્ષેત્રો ઉપર તો મયુરપક્ષીના ખાસ બેસણા હોય છે. આપણે ગાઈએ છીએ ને !.....
ક્યું ન ભયે હમ મોર વિમલગિરી, કયું ન ભયે હમ મોર, સિદ્ધવડ રાયણ સુખકી શાખા, ઝુલત કરત કોર. વિમલ...૧.
પ્રભુની પ્રતિમા ઉપરથી નિર્માલ્ય ઉતારવા માટે તેમજ શુદ્ધ સ્થળોમાં કાજો લેવા માટે મોરપીંછની બનાવેલ મોરપીંછીનો ઉપયોગ થતો હોય છે. આર્યદર્શનોમાં તો મોરપીંછીનો ઉપયોગ વ્યાપક છે પણ મુસ્લિમધર્મમાં પણ મોરપીંછીનો ઉપયોગ જોવામાં આવે છે. કૃષ્ણવાસુદેવે મોરપીંછને પોતાના શિરતાજના સ્થાને
મન. ઈન્દ્રિયના માધ્યમ દ્વારા ઉપયોગને વિષયમાંથી ખેંચી લઈએ તો સ્વભાવ જણાય.