________________
૩૦
આનંદઘન પદ - ૬
પદ - ૧
(સાખી)
आतम अनुभव रसिकको, अजब सुन्यो विरतंत ॥ निर्वेदी वेदन करे, वेदन करे अनंत.
રાગ સામગ્રી
महारो बालुडो संन्यासी, देहदेवल मठवासी. R. IIII ईडा पिंगला मारग तज योगी, सुषमना घरवासी । ब्रह्मरंध्रमधि आसन पुरी बाबु, अनहदतान बजासी. म. ॥२॥ यम नियम आसन जयकारी, प्राणायाम अभ्यासी । प्रत्याहार धारणाधारी, ध्यान समाधि समासी. म. ॥३॥ मूल उत्तर गुण मुद्राधारी, पर्यंकासनवासी । रेचक पूरक कुंभक सारी, मन इंद्रिय जयकासी. म. ॥४॥ स्थिरता जोय युगति अनुकारी, आपोआप बिमासी। आतम परमातम अनुसारी, सीजे काज समासी. म. ||५|| આતમ અનુભવ રસિકકો, અજબ સુન્યો વિરતંત;
નિર્વેદી વેદન કરે, વેદન કરે અનંત. આતમ અનુભવી, આતમરસ પીનારા આતમ રસીયાનો આ અજબ ગજબનો આશ્ચર્યકારક વિરતંત એટલે વૃતાંત છે, જે આજે સાંભળવામાં આવ્યો. કેવી નવાઈ પમાડનારી વાત છે કે નિર્વેદી વેદન કરે છે. નથી તો નર, નથી તો નારી કે નથી તો નાન્યતર. ત્રણેમાંથી એકેય વેદ નથી, એકેય જાતિનો નથી અને છતાં વેદન કરે છે. તે પણ પાછું પાર વગરનું અસીમ કે જેનો કોઈ છેડો નથી તેવું અંત વગરનું અનંત વેદન કરે છે.
આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્રમાં રમમાણ રહેવું એ ઉત્કૃષ્ટ ધર્મ છે.