________________
૩૪
આનંદઘન પદ
પ્રાણ સમ ચાલે તો શરીર સ્વસ્થ નીરોગી બને, ઈન્દ્રિયો સતેજ (Sharp) થાય અને મન સુમન બને, બુદ્ધિ સર્બુદ્ધિ બને, ચિત્ત સ્થિર થાય અને અહંકાર આત્માકાર સોઽહંકાર - ઓમકાર બને.
સુષુમણાના શ્વસનથી ધ્યાનસ્થ થઈ, મૂલાધારમાં અધોમુખે સુષુપ્ત રહેલી કુંડલિનિ - ચિદ્શકિત - દર્શનજ્ઞાનચારિત્ર શકિત ઉર્ધ્વમુખી બની, જાગૃત થયેલી ઉર્ધ્વગામિની થઈ, અમૃતપ્રવહણી બની ષડચક્ર ભેદીની થાય છે. મૂલાધાર ચક્રથી ઉત્થાન પામી સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત અને આજ્ઞાચક્રને સ્પંદિત કરી ભેદીને તે બ્રહ્મરંધ્ર-સહસ્ત્રારમાં અમૃત આસ્વાદીની બની સંતૃપ્ત થાય છે, નીરિહી, વીતરાગ, પૂર્ણ કામ બને છે. આપણા સર્વ જિનબિંબના મસ્તક ઉપર જે સહસ્ત્રો-હજારો વિકસિત થયેલ કમલપાંખડીઓ જોવામાં આવે છે તે જાગૃત - ઉત્થિત - વિકસિત બ્રહ્મરંધ્રની સૂચક છે.
-
S
પ્રાણ
શ્વસન ઉપર મન કેન્દ્રિત કરતાં પ્રાણ પણ સમ બને છે અને એકાગ્ર થયેલું મન શાંત થાય છે. શાંત અને એકાગ્ર થયેલું મન અંતરમુખ થાય છે. અંતરમુખી બની અંતરમાં એકાગ્ર બની શાંત થયેલું મન આત્માની આ ઉત્થાનની - વિકાસની યોગિક પ્રક્રિયામાં અનાહતચક્ર સ્પંદિત થતાં દેહાલય દેવાલય બન્યું છે અને એમાં પરમાત્મસ્વરૂપ આત્મા પ્રતિષ્ઠિત થયો છે તેના એંધાણરૂપ દિવ્ય અંતરનાદ, અનાહતનાદ, બ્રહ્મનાદનો સમધુર મંજુલ ગુંજારવ સંભળાતા મન બાગબાગ થઈ ગુલતાન થાય છે, જાણે બેન્ડવાજા સાથે સામે આવી સામૈયુ કરી રહ્યાં છે. બાળુડો બાબુ બને છે - શેઠ - માલિક થાય છે, પરાવલંબી બાળુડો મટી સ્વાવલંબી માલિક - બાબુ બને છે.
ઈંડા -પિંગલા ચન્દ્ર, સૂર્ય નાડી, રાગ-દ્વેષ, ઉષ્ણતા-શીતલતા, શાતા-અશાતા, સુખ-દુ:ખ આદિ દ્વંદના ઐતમાંથી નિદ્વંદના અદ્વૈત વીતરાગતા સમરૂપતા તરફ લઈ જનારી નાડી સુષુમણા નાડી છે.
યમ નિયમ આસન જયકારી, પ્રાણાયામ અભ્યાસી પ્રત્યાહાર ધારણધારી, ધ્યાન સમાધિ સમાસી....૩.
પદની પહેલી કડીમાં જોયું કે નિર્વેદી અનંત વેદન કરે છે. એ આશ્ચર્યકારક અજ્ઞાન ક્રિયાભ્યામ બંધનમ્.