________________
આનંદઘન પદ - ૯
પપ
પદ - ૯
(રાગ – સારંગ)
नाथ निहारो आप मतासी, वंचक शठ संचक शी रीते ? ||
તો વાતો તાપી | નાથ. III आप विगूचण जगकी हांसी, सियानप कौन बतासी। निजजन सुरिजन मेला ऐसा, जैसा दूध पतासी ॥ નાથ. રા ममता दासी अहित करि हरविधि, विविधभांति संतासि । आनन्दघन प्रभु विनति मानो, और न हितु समतासी || नाथ. ||३||
યોગીરાજજી આ પદમાં પોતાની જાતને મમતાના સંગમાં પોતાનાજ - આત્માની છેતરપિંડી નહિ કરતાં સમતાના સંગમાં આત્મયોગી બની આત્માના અક્ષય ખજાનાને પામવાની વાત કરે છે. નાથ નિહારો આપ મતાસી, વંચક શઠ સંચક શી રીતે ?
ખોટો ખાતો ખતાસી...૧. નિરંજન નાથ એવાં પરમાત્માના અલખ સ્વરૂપની અકળ કલાને નિહાળવા પોતાની વ્યવહારુ દુન્યવી મતિ કે અન્ય કોઈની મતિ કે મતનો આશરો (સહારો) ન લેતાં પોતાની પ્રજ્ઞા કે જે પ્રશસ્ત ભાવમાં પરિણમેલી છે તેની મદદ-સહારો. લઈને પોતે જ પોતાને નિહાળશો, આત્મ નિરીક્ષણ Introspection કરશો તો
ત્યાં ઉપશમતા, સમતા, સમાધિ, આનંદ સિવાય બીજું કાંઈ નથી. પોતે પોતાને રત્નત્રયી, તત્ત્વત્રયીથી પરિકર્મિત પ્રજ્ઞા વડે નિહારો - નિહાળો - નિખારો. બીજાં તો શઠ ઠગારા વંચક છે, જે સ્વરૂપને સ્વરૂપ રૂપે ન તો સમજાવશે કે ન તો સમજવા દેશે અને સંચિતથી વંચિત રાખી ગાડી આડા પાટે ચઢાવી દઈ ખોટી ખતવણી કરાવશે, જેથી લેવાના દેવાના થઈ પડશે.
સર્વસારનો સાર આત્મા છે. તેથી આત્મા સર્વ સારભૂત તત્વોનો સંગ્રાહક એવો સંચક છે. આવો સંચક છતાં શઠ એટલે મૂર્ખ બની પોતે જ પોતામાં
જે અંતરમાં ડૂબકી મારે તેને સર્વજ્ઞપણું મળે.