________________
આનંદઘન પદ - ૮
પ૧
નવપલ્લવિત થાય છે. પરંતુ આ અનુભવ પૂષ્પ એવુ પૂષ્પ છે કે એની રીત જ કોઈ નવતર છે. આ પૂષ્પની ઉપસ્થિતિ નાકથી વાસ લઈને કે કાનથી શબ્દો - અવાજ ગ્રહણ કરીને પકડી શકાય એમ નથી કારણ કે તે અતીન્દ્રિય છે. વળી એ અનુભૂતિની પળોમાં આત્મા એવો તો આત્મલીન થઈ ગયો હોય છે કે બહારની સુવાસ, બહારનો કોલાહલ, આદિ ગ્રહણ કરવા માટે ઈન્દ્રિયો બધિર બની ગઈ હોય છે કેમકે મન - જ્ઞાનતંતુઓ સાથેનું ઈન્દ્રિયોનું જોડાણ કપાઈ ગયું હોય છે. વિષયને ગ્રહણ કરતી ઈન્દ્રિયો મન સુધી એ વિષયાનુભૂતિને હોંચાડી શકતી નથી અથવા જો પહોંચાડે છે તો મન તેમાં જોડાતું નથી કેમકે તે તો દિવ્યાનુભૂતિમાં ગરકાવ થયેલું હોય છે. જેમ પૂષ્પ અલ્પ જીવી હોવાથી એની સુવાસ, એનું મુલાયમ સ્પર્શન, એનાથી આંખોને પહોંચતી ઠંડક સ્થાયી રહેતી નથી. એજ રીતે સાધકને થતી આત્માનભૂતિ આત્મરસાસ્વાદ પણ પ્રાથમિક ભૂમિકામાં તો અલપઝલપ ક્ષણિક હોય છે. માત્ર ઝાંખી થાય છે કે ઝલક મળે છે. આત્માનુભૂતિની ઝલક પૂષ્પ જેવી મનભાવન પણ આલ્પજીવી છે એ સૂચવવા જ યોગીરાજે આતમ અનુભવને ફૂલ કહ્યું. કુલ ભલે ખીલતું અને મુરઝાતું ! પરંતુ આ અનુભવફૂલને જો પકડી રાખી શકાય, એની સાથે સાથે રહેવાય અને અનુસરાય અને એમાંથી બહાર નીકળી પર - અન્ય અનુભવમાં ન જવાય તો એ અનુભવ કે અનુભાવન ન રહેતાં તે સ્વભાવ બની. જઈ શકે છે. આત્માનુભવને અનુલક્ષીને જ પદરચના કરાઈ છે.
અનુભવ નાથકું કયું ન જગાવે, મમતા સંગસો પાય અજાગજ, થન તે દૂધ દુહાવે. અનુભવ...૧.
ચેતના અને ચેતનના મિલનથી પૂર્વે થયેલા આત્માનુભવ, આત્માનુભૂતિના રસાસ્વાદને ફરી ફરી યાદ કરી, ફરીયાદ પણ કરી રહી છે અને અનુભવમિત્રને વિનવણી પણ કરી રહી છે.
ચેતનની ચેતના સમતા, સુમતિને સંબોધીને કહે છે કે અત્યારે તો ચેતનને આત્મ અનુભૂતિ થવાથી પરમાનંદ અનુભવે છે. પરંતુ પ્રમાદ અને મમતાના સંગથી તો ચોદપૂર્વના અભ્યાસીઓ પણ જ્ઞાન જ ન હોય એવી અજ્ઞાન દશાને,
આત્મા સ્વયંભૂ છે એટલે એણે સ્વયં સ્વબળે જ સિદ્ધ થવું પડે.