________________
૨૮
આનંદઘન પદ - ૫
તે જણાવનાર આ સ્યાદ્વાવાદ યાને સ્વરૂપ નિરૂપણવાદ વિષયમાં વિશેષ જાણકારી માટે પરિશિષ્ટમાં આપેલ લેખ જોઈ જવો. જિજ્ઞાસુ પાઠકને એથીય વધુ વિગતવાર માહિતી માટે શ્રીચંદ્ર લિખિત “સ્યાદ્વાદ અનેકાન્તવાદ’ પુસ્તક તથા સમ્મતિતર્ક, નયચક્ર, આગમસાર તથા અમ્મદીયકૃત આત્મપ્રકાશ ગ્રંથ જોઈ જવા ભલામણ છે.
સર્વમથી, સરપંગી માને, ન્યારી સત્તા ભાવે; આનન્દઘન પ્રભુ વચન સુધારસ, પરમારથ સો પાવે..૪.
આનંદના સમુહરૂપ એવાં પરમાનંદી પ્રભુના વચનામૃત રસનો મહાસાગર એવો તો સર્વમથી વિશાળ વ્યાપક છે કે તે પોતે પોતામાં સર્વથી ન્યારો નોખોનિરાળો પોતાની સત્તામાં, પોતાના ભાવમાં રહી પોતામાં સર્વને સમાવે
વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર કથિત જિનદર્શનને યોગીરાજજીએ જિનપુરુષ રૂપે કલ્પીને જુદા જુદા એકમેકથી જુદી જુદી વિરુદ્ધ વાતો કરનારા જે કદર્શનોના (૧) છ મત છે તે છયે દર્શનને જિનપુરૂષના એક એક અંગ - અવયવ જણાવેલ છે. એકવીશમાં નમિનાથ જિનેશ્વર ભગવાનની સ્તવનામાં ષડુ દરિસણ જિના અંગ ભણીજે...” કહેવા દ્વાર એઓશ્રી કહે છે કે એ છએ દર્શન પોતપોતાના છએ જુદા જુદા મતથી તે તે view Points દૃષ્ટિકોણ (નય) થી સાચા છે. પણ તે મતાગ્રહી થઈ એકાન્તિક વાત કરે છે અને અન્યમત, અન્ય દષ્ટિકોણને માન્ય રાખતા કે સ્વીકારતા નથી તેથી અધુરા છે. એ સર્વ મતોને જિનદર્શન પોતાના સ્યાદ્વાદદર્શનરૂપ મહાસાગરમાં સમાવે છે. એ સર્વની ત્રુટીની પૂર્તિ કરનારું પૂર્ણદર્શન છે તેથી તેમના તે તે મતને પોતાના એકેક અંગરૂપ ગણનારું સર્વજ્ઞનું કહેલું સગી દર્શન છે. જો એ બધાંય નિરાગ્રહી થઈ ભેળાં થઈ જાય. તો સરપંગી - સર્વાગી જિનદર્શનના અંગ બની જાય કે જેને યોગીરાજે મસ્તિષ્કમાં
સ્થાન આપ્યું છે કેમકે એની પાસે દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્યાદ્વાદ શૈલીની આગવી વિચારણા છે.
માટે જે કોઈ ષડ્રદર્શન ભણીને જિનદર્શનને સર્વમયી સર્વરૂપ સર્વાગ
જેને આત્મા પામવો છે તેની બધી જ ક્રિયા દષ્ટાભાવે થવી જોઈએ.