________________
૨૬
આનંદઘન પદ - ૫
તો અગણિત દષ્ટાંતો છે જેના વડે આત્મા તેમજ અન્ય મૂળભૂત દ્રવ્યોનું ઉત્પાલ વ્યય ધ્રૌવ્યયુન ત’ સિદ્ધ થાય છે.
છે નહી હૈ વચન અગોચર, નય પ્રમાણ સપ્તભંગી; નિરપખ હોય લખે કોઈ વિરલા, કયા દેખે મત જંગી. અવધૂ૩.
છે’, ‘નથી’ અને ‘છે”. આત્માની શકિત અગણિત, અગાધ, અમાપ, અનંત છે. અત્યારે ‘નથી’ કારણ કે તે અપ્રગટ છે. પરંતુ તે શકિત જ્યારે પ્રગટ થશે ત્યારે એ શકિત આત્માની આત્મામાં છે તેની પ્રતીતિ થશે. વચનથી વ્યકત કરી શકાય તેમ નથી તેથી તે વચન અગોચર છે. એ માત્ર અનુભવ ગમ્ય છે.
છે” “નથી” “છે' એ ભાવનો ભાવ છે જે કર્મરહિત શુદ્ધાવસ્થા છે. ભાવનો ભાવ થઈ શકતો હોય છે. એ અતીન્દ્રિય છે.
જે અત્યારે જણાય છે, દેખાય છે તે ઈન્દ્રિયનો વિષય છે તેથી ઈન્દ્રિયગમ્યા છે. એ પૂર્વે હતું નહિ, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેવાનું નથી. એ બધુંય. ભાસ્યમાન આભાસી છે કારણ કે તે અભાવનો ભાવ છે જે કર્મભનિત અવસ્થા - છે. એટલે જ અભાવનો થયેલો એ ભાવ પાછો અભાવ રૂપે પરિણમવાનો છે. ભાવનો ભાવ થાય અને તે શાશ્વત હોય. અભાવનો ભાવ કદીય શાશ્વત નહિ હોય,
જે પહેલાં હતું નહિ, વર્તમાનમાં છે પણ ભવિષ્યમાં રહેવાનું નથી, તેનું વર્તમાનમાં હોવાપણું એ ન હોવાપણા બરોબર છે. રજુ રજુ જ હતું. અજ્ઞાનના અંધારામાં તે સર્પ રૂપે જણાયું. જ્ઞાનનો પ્રકાશ થતાં અજવાળામાં રજુ રજુ રૂપે જણાયું અને સર્પ હોવાનો ભ્રમ ભાંગ્યો. જયારે સર્પ રૂપે જણાયું ત્યારે તે સમયે પણ એ રજું જ હતું. સર્પ હોવાની તો માત્ર ભ્રમણા, આભાસ થયો. હતો કારણ કે ત્યારે અજ્ઞાનનો અંધકાર હતો. એ ભ્રમણાના સમયમાં અભાવનો ભાવ થયો. ભ્રમ ભાંગતા પાછો ભાવનો અભાવ થયો.
જે ‘નથી” તે “છે' થવાનું નથી અને જે છે તે ‘નથી’ થવાનું નથી.
આત્માને ઓળખશો તો વ્યવહારધર્મ એની મેળે સહજ થયા કરશે.