________________
આનંદઘન પદ - ૧
“અહમ્ રે અહમ (હમનો અભાવ) તું જાને મરી’ હું કંઈ નહિ પ્રભુ તું જ સર્વ. એ સ્થિતિ આવે તો જીવ તું હરિ અને તું હરિ તો વાત ખરી. આ ભાવ મહાસતી ચંદનબાલાજી અને મૃગાવતીના પરસ્પરના ક્ષમાપનાભાવમાં તાદ્દશ થાય છે. મૃગાવતીજીની કેવી ગુરૂભકિત અને ગુરૂ સમર્પણ ભાવ ? મારી ભૂલ કે ઉપયોગ ચૂકી અને ગુરુણીજીને દુ:ખ પહોંચાડ્યું. હું નું હનન થયું અને કેવળજ્ઞાનનું પ્રગટીકરણ થયું. શિષ્યાને જે મળ્યું તે ગુરૂનો પ્રતાપ લેખી ગુરૂચરણે ધરી દીધું અર્થાત્ ગુરૂણી ચંદનબાલા મહાસતીજી પણ કેવળજ્ઞાનને પામ્યા ! ગણધર ભગવંત ગૌતમસ્વામીજીની પણ કેવી ઉત્કૃષ્ટ ઉપાસના કે જેના પ્રભાવે ૫૦,૦૦૦ કેવળજ્ઞાની ભગવંતના છદ્મસ્થ ગુરૂભગવંત બનવાનું કેવળજ્ઞાન દાતારનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું ! પોતાની પાસે નહોતું પણ ભગવાન પાસે લઈને ભગવાન વતી ભગવાનના માધ્યમે શિષ્યોને સહજ સહર્ષ આપ્યું.
આ પદ પાઠકને બોધ આપે છે કે પ્રાપ્ત માનવભવના સ્વસમયનો ભગવદભકિતમાં સદુપયોગ કરો !
જેનો મોક્ષ દૂર હોય તેને સંસારમાં વિશેષતા લાગે છે. જેનો મોક્ષ નજીક હોય તેને સંસારનો એક યા યદાથી પ્રાયઃ આકર્ષી શકતો નથી, મૂંઝવતો નથી, કારણ કે તે વર્તાય છે – વિનાશી છે. આત્મા માટે પ્રવચન આપવા, કે યુસ્તક લખવા તે રહેલું છે, વરંતુ આભા માટે શૂરવું બૂબ કઠીન છે. આ રીતે ઝૂરવા માટે માતાથી વિખૂટા પડી ગયેલા બાળક જેવી નિરાધાર, અશરણાતાજું અફાટ હૈયાફુદળ જોઈશે ?
દ્રવ્ય] કર્મ, ભાવ કર્મ, નો કર્મ – એ ત્રણે સંસારનો છેદ જોઈએ.